અમદાવાદમાં સરદારધામનું ઈ લોકાર્પણ વખતે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની વિકાસયાત્રા ગ્રોથ એન્જિન આપનારો સમાજ એટલે પાટીદાર સમાજ. અને તે ભવનના નિર્માણ સમાજમાં અમને જે તક મળી છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામ જેમનું નામ જાેડાયેલું છે તેવા સરદારધામ બનવા જઈ રહ્યું છે. સરદાર પટેલના ચિંધેલા કામ અને રસ્તાના માર્ગે ભારત આગળ વધી રહ્યું છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે પીએમ મોદીએ કેવડિયામાં સૌથી ઉંચી પ્રતિમા બનાવીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ગુજરાતમાં સોળે કળાએ વિકાસ થઈ રહ્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ પુરો થાય છે. તમને જણાવી દઈએ કે વૈષ્ણોદેવી સર્કલ પાસેના એસપી રીંગ રોડ પર પાટીદાર સમાજ દ્વારા અંદાજીત ૨૦૦ કરોડના ખર્ચે ૧૧,૬૭૦ સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે ૭ લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે.
હવે સરદારધામ ફેઝ-૨ અંતર્ગત ૨૦૦ કરોડના ખર્ચે ૨૫૦૦ દીકરીઓ માટે કન્યા છાત્રાલય અને સરદાર ભવન બનાવવામાં આવશે. નવનિર્મિત સરદારધામ ભવનના ઈ-લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઈ-ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૧૧ના રોજ થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીમંડળના સભ્યો તેમજ સરદારધામના ભવનદાતાઓ, ભુમિદાતાઓ અને ટ્રસ્ટીઓની સરદારધામ ખાતે ઉપસ્થિતિ રહેશે. સરદારધામમાં ૮૦૦ દીકરાઓ અને ૮૦૦ દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. ૧૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે. સરદારધામમાં ૪૫૦ વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને ૧૦૦૦-૧૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા સાથેના ૨ હોલ પણ છે. સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે ૮થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની ૫૦ ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા ૩.૫૦ કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામનું નરેન્દ્ર મોદીના હસ્તે આજે ૧૧ વાગે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઁસ્ મોદી વીડિયો કોન્ફરન્સથી સરદારધામ ફેઝ-૨નું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે રૂપાણી, નીતિન પટેલ અને પ્રદીપસિંહ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદીએ પોતાની ભાષણની શરૂઆત કેમ છો મજામાં? વરસાદ પાણી કેમ છે કરીને લોકોની ખબર અંતર પુછ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ રાજ્યના સીએમ વિજય રૂપાણી સહિત અનેક દિગ્ગજ નેતાઓનો આભાર માન્યો હતો. આ સિવાય સરદારધામના ટ્રસ્ટીઓ અને તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે, સરદારધામની શરૂઆત જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશ પુજનની પરંપરા છે. એટલે સરદારધામનું શ્રીગણેશ પણ ગણેશ ચતૃર્થીના પાવન પ્રસંગમાં થઈ રહ્યો છે. ગણેશ ચતૃર્થી અને ઋષિ પંચમીની શુભેચ્છા પાઠવી હતી. આજે ઋષિપંચમીનો તહેવાર પણ છે. ભારત પરંપરાનો દેશ છે એટલું જ ભારત ઋષિમુનિઓનો દેશ છે. આપણે તે વારસાને આગળ ધપાવીએ. આજે મારા તરફથી તમામ નાગરિકોને મિચ્છામી દુક્કડમ. સરદાર પટેલના ચરણોમાં વંદન, સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં સરદાર ધામ આકાર પામી રહ્યું છે અને આજે ફેઝ ટુ નો પાયો નંખાયો છે. સરદારધામ અનેક યુવાઓને સશક્ત કરશે. પાટીદાર સમાજના યુવકો સાથે ગરીબ અને મહિલાઓના સશક્તિકરણ પર તમે ભાર મૂક્યો તે પ્રશંસનીય છે. સરદાર ધામ આવનારી પેઢીને સરદાર સાહેબના જીવનના આદર્શ પર જીવવા પ્રેરણા આપશે.
Recent Comments