રાષ્ટ્રીય

શું ટાટા કંપનીને એર ઈન્ડિયા મળશે ?

જાે સરકારનો સોદો ટાટા સાથે પાક્કો થાય તો વિમાન કંપનીની ૬૮ વર્ષ બાદ ઘરવાપસી થશે. ટાટા જૂથે ઓક્ટોબર ૧૯૩૨માં ટાટા એરલાઈન્સના નામથી એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. ૧૯૪૭માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રીય એરલાઈન્સની જરૂર અનુભવાઈ. તેવામાં ભારત સરકારે એર ઈન્ડિયામાં ૪૯ ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરી લીધું. ત્યાર બાદ ૧૯૫૩માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કર્યો અને પછી ટાટા જૂથે આ કંપનીમાં મહત્તમ હિસ્સો ખરીદી લીધો. નુકસાનમાં ચાલી રહેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાની કમાન આ સપ્તાહમાં જ તેના નવા માલિકને સોંપી દેવામાં આવશે.

આ સપ્તાહની અંદર જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓની પેનલમાં કંપનીના નવા માલિક અંગેનો ર્નિણય લેવામાં આવશે. શક્ય છે કે, એક સપ્તાહ બાદ એર ઈન્ડિયાની ઘરવાપસી થાય અને સરકાર ફરી ટાટા ગ્રુપને એર ઈન્ડિયાની કમાન સોંપી દે. હકીકતે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાની બોલીમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. આ દોડમાં સ્પાઈસ જેટના પ્રમોટર અજય સિંહ પણ સામેલ છે. જાેકે અંતિમ ર્નિણય એક સપ્તાહ બાદ જ લેવાશે. એક અહેવાલ પ્રમાણે ટાટા ગ્રુપની બોલી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રિઝર્વ પ્રાઈસથી આશરે ૩,૦૦૦ કરોડ રૂપિયા વધારે છે. ટાટાની બોલી સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહ દ્વારા લગાવવામાં આવેલી બોલી કરતા આશરે ૫,૦૦૦ કરોડ રૂપિયા વધારે છે.

Related Posts