જો તમે પણ આંખમાં દરરોજ કાજલ લગાવો છો તો તમારે અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ ખુબ જ જરૂરી છે, કારણકે આંખમાં કાજલ લગાવવાથી અનેક પ્રકારના ઇન્ફેક્શન થાય છે અને આંખમાં સોજો પણ આવી શકે છે. તો જાણી લો તમે પણ આંખમાં કાજલ લગાવતી વખતે શું ધ્યાન રાખશો.
આંખમાં કાજલ લગાવો ત્યારે ચહેરો બહુ મસ્ત લાગે છે. જો તમે મેક અપ નથી કરતા અને માત્ર આંખમાં કાજલ કરો છો તો પણ લુક આખો બદલાઇ જાય છે, પણ જો તમે આંખમાં દરરોજ કાજલ કરો છો તો એ તમારી આંખને બહુ નુકસાન કરે છે. માર્કેટમાં મળતી કાજલમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે તમારી આંખોને અને સ્કિનને નુકસાન પહોંચાડે છે. આ માટે આંખમાં કાજલ લગાવતી અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તો આજે જાણી લો તમે પણ કાજલ લગાવવાની સાચી રીત વિશે..
આંખમાં કાજલ લગાવવાથી થાય છે આ નુકસાન
- માર્કટમાં મળતી કાજલમાં કેમિકલ્સનું પ્રમાણ વધારે હોય છે જેનાથી તમારી આંખોને નુકશાન થાય છે. આ પ્રકારના કેમિકલ્સથી આંખમાં ઇન્ફેક્શન, આંખમાં ખંજવાળ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે.
- લાંબા સમય સુધી આંખમાં કાજલ રાખવાથી એલર્જી, કોર્નિયલ અલ્સર તેમજ ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે.
- ઘણી બધી કાજલમાં હાર્ડ કેમિકલ્સ હોય છે જેનાથી આંખોની અંદર સોજો આવી શકે છે. આને મેડિકલ ભાષામાં યુવેઇટિસ કહેવામાં આવે છે.ટ
- જો તમે આંખમાં દરરોજ કાજલ લગાવો છો તો ધ્યાન રાખો કે કાજલ આંખની અંદર સુધી બહુ જાય નહિં.
આંખમાં કાજલ લગાવો છો તો ધ્યાનમાં રાખો આ બાબતો
- રાત્રે સૂતા પહેલા આંખો બરાબર ધોઇ લો.
- કાજલની એક્સપાયરી ડેટને ધ્યાનમાં રાખો. જ્યારે તમે બહાર કાજલ લેવા જાવો ત્યારે ખાસ એની એક્સપાયરી ડેટ ચકાસો અને પછી કાજલની ખરીદી કરો.
- તમારી કાજલ કોઇની સાથે શેર ના કરો.
- આંખમાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયુ હોય તો કાજલ લગાવશો નહિં.
- કાજલ લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે એ હંમેશા વોટર લાઇન પર જ લગાવો.
આમ, જો તમે પણ દરરોજ કાજલ લગાવો છો તો બહારથી કાજલ લાવવાનું ટાળો અને ઘરે જાતે જ કાજલ બનાવો. ઘરે બનાવેલી કાજલ તમારી આંખોને નુકસાન ઓછુ કરે છે.
Recent Comments