ભાવનગર

ભાવનગર ઈનોવેશન ફેરમાં પ્રયોગશીલ શ્રેષ્ઠ શિક્ષક ગિરીશકુમાર ધારૈયાનું ઈનોવેટીવ આઈડિયાની પ્રસ્તુતિ સાથે સન્માન

ભાવનગર ઈનોવેશન ફેરમાં પ્રયોગશીલ શ્રેષ્ઠ શિક્ષક શ્રી ગિરીશકુમાર ધારૈયાનું ઈનોવેટીવ આઈડિયાની પ્રસ્તુતિ સાથે સન્માનGCERT ગાંધીનગર પ્રેરિત ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ભાવનગર જિલ્લા કક્ષા એજયુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ : 2021 / ’22 ( ફેર )  સીદસર ખાતે તા. 21 અને 22 જાન્યુઆરીના રોજ યોજાય ગયો. જેમાં ગારિયાધાર તાલુકાની શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક “ગગનસર” હુલામણા નામથી ઓળખીતા શ્રી ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયાએ “સ્વરચિત TLM થકી અભિવૃદ્ધિ” નવતર પ્રયોગની પ્રસ્તુતિ સાથે ઉમંગ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઈનોવેશન ફેરમાં પ્રાથમિકના 37 અને માધ્યમિકના 2 શિક્ષકો મળીને કુલ 39 શિક્ષકો દ્વારા શિક્ષણક્ષેત્રમાં કરેલાં નવતર પ્રયોગોનું પ્રદર્શન અને નિદર્શન રજૂ કરવામાં આવેલ. ઈનોવેટીવ ટીચર ગગનસરનો મૂળ આઈડિયા વેસ્ટ વસ્તુને ફેંકી ના દેતા TLM તરીકે વાપરવા નિર્દેશ કરાયો હતો. 

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી કમુબેન ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મિયાણી સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી શિષીરભાઈ ત્રિવેદી, શાસનાધિકારી શ્રી યોગેશભાઈ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ સાહેબ, ઈનોવેશન સેલ કોઓર્ડીનેટર શ્રી વિપુલભાઈ વાજા સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – OS ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં G. C. E. R. T. ગાંધીનગરના પૂર્વ નિયામક શ્રી ડૉ. નલિનભાઈ પંડિત સાહેબના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટોથી ગિરીશભાઈનું સન્માન કરવામાં આવેલ. વિશેષ કોરોના કાળ દરમિયાન બાળકોને ઘેર ઘેર દઉં ફળિયા શિક્ષણના કાર્ય થકી 5 મી સપ્ટેમ્બર 2021ના રોજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુજરાત રાજ્ય સરકારે સન્માનિત કરેલ. જેની આ તકે નોંધ લેવાઈ હતી. જિલ્લા – તાલુકા અને શાળાના શિક્ષકોએ ઓનલાઈન જોડાઈને સરાહનીય પ્રયોગશીલ કામગીરીને બિરદાવી હતી.

Related Posts