અમરેલી

અમરેલી જિલ્‍લામાં ધંધુકાની ઘટનાને લઈને રોષની આંધી

ધંધુકાનાં હિન્‍દુ યુવકની વિધર્મીઓ ઘ્‍વારા હત્‍યા થયાની ઘટનાનાં ઘેરા પ્રત્‍યાઘાતો અમરેલી જિલ્‍લામાં પડયા છે. અમરેલી, લીલીયા, દામનગર, વડિયા, કુંકાવાવ, ઉના સહિતનાં વિસ્‍તારોમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદ, આંત્તરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદ, હિન્‍દુ યુવા સંગઠન સહિતનાં સંગઠનો ઘ્‍વારા સ્‍થાનિક અધિકારી મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

અમરેલી

આજ રોજ વિશ્‍વ હિન્‍દુ પરિષદ અમરેલી, બજરંગ દળ અમરેલી ઘ્‍વારા અમરેલી કલેકટર કચેરી ખાતે કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવેલું અને આવી ઘટનાઓ રાજય કે દેશમાં ફરી ફરી ન બને તેના માટે આ કૃત્‍યકરનારા જે કોઈ લોકો છે તેમને કડકમાં કડક દાખલારૂપ સજા થાય તેવા તમામ પ્રયત્‍નો સરકાર તરફથી કરવામાં આવે અને આ પરિવારને આવી પડેલ દુઃખને સહન કરવાની શકિત ઈશ્‍વર આપે એવી લાગણી સાથે આવેદનપત્ર અમરેલી વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળનાં હોદેદારો હસમુખભાઈ દુધાત, ભરતભાઈ કાનાણી, યુવરાજભાઈ વાળા, બાબુલભાઈ ત્રિવેદી, ધર્મેન્‍દ્રભાઈ કાચા, મોહનભાઈ કાલેણા, જયદીપભાઈ ઉનાગર, રાજુભાઈ, હિરેનભાઈ તેમજ શહેરનાં અન્‍ય કાર્યકરો સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ. તેવું શહેર વિશ્‍વ હિન્‍દુ પરિષદ સહમંત્રી મહેન્‍દ્રભાઈ ડાંગરની યાદીમાં જણાવેલ છે.

લીલીયા

લીલીયા માલધારી સમાજ, વિશ્‍વ હિન્‍દુ પરિષદ તેમજ આંત્તરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ ઘ્‍વારા લીલીયા મામલતદાર કચેરીએ મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવેલ. કિશનનાં હત્‍યારાને તાત્‍કાલિક ફાંસીની સજા થાય તેવી પ્રદેશનાં મુખ્‍યમંત્રી તેમજ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવેલ.

આ તકે લીલીયા માલધારી સમાજ તેમજ વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં આગેવાનો, કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પોતાનો રોષ વ્‍યકત કરેલ. આ તકે અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં અઘ્‍યક્ષ હસુભાઈ દુધાત, આંત્તરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, હિતેશભાઈઆંબલિયા, અજયભાઈ માઢક, કમલેશબાપુ અગ્રાવત, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, મહામંત્રી ગૌતમભાઈ વિંછીયા, અમરેલી જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, રાહુલ સાનિયા, પરેશ પહાડા, શર્મિલભાઈ સાદરાણી, નટુભાઈ ભરવાડ, સુખાભાઈ, નીતિન ડુંગરીયા, ઘનશ્‍યામભાઈ બારૈયા, તુષારભાઈ ધોરાજીયા, લીલીયા ચેમ્‍બર ઓફ કોમર્સ પ્રમુખ અરજણભાઈ ધામત, ભીખાભાઈ ધારૈયા, આર.બી. ભાલાળા, રમેશભાઈ ભડકોલીયા, પરિન સોની, વિપુલભાઈ કસોટીયા, વાલજીભાઈ ગલાની સહિતનાં લોકો, આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

દામનગર

દામનગર શહેરનાં સમસ્‍ત હિન્‍દુ સમાજ ઘ્‍વારા નાયબ મામલતદાર એસ.બી. ત્રિવેદીને આવેદનપત્ર પાઠવી ધંધુકા ખાતે હિન્‍દુ માલધારી યુવક કિશન બોળીયાની થયેલ હત્‍યાનાં આરોપીને ફાંસીની માંગ સાથે રેલી રૂપે આવેદનપત્ર પાઠવ્‍યું હતું. તા. ર9/ર/રરનાં શનિવારે સવારથી જ અસંખ્‍ય યુવાનો ખૂબ મોટી સંખ્‍યામાં એકત્રીત થયા હતા અને સરકારમાં આ જધન્‍ય અપરાધ કરતા વિરૂઘ્‍ધ કડક કાર્યવાહીની માંગ બુલંદ બનાવી હતી. જેમાં દામનગર શહેરભરમાંથી તમામ હિન્‍દુ સંગઠનો, સામાજિક અગ્રણી, યુવાનોની વિશાળ રેલી શહેરનાં સરદાર ચોકથી પ્રસ્‍થાન થઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. અતિ રોષ સાથે અસંખ્‍ય હિન્‍દુ યુવાનોએ દામનગરનાયબ મામલતદાર એસ.બી. ત્રિવેદીને આવેદનપત્ર પાઠવી કિશન ભરવાડની વિધર્મીઓ ઘ્‍વારા કરાયેલ હત્‍યાનાં ષડયંત્રમાં સામેલ આરોપીઓને ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપી દાખલો બેસાડતો ચુકાદો આપોની માંગ કરતા સમસ્‍ત હિન્‍દુ સમાજે સરદાર ચોકથી વિશાળ રેલી રૂપે નગર સેવા સદન પહોંચી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

વડિયા/કુંકાવાવ

ગુજરાતનાં ધંધુકાનાં જાહેર માર્ગ પર હિન્‍દુ ગૌરક્ષક એવા કમલેશ ભરવાડની જાહેર માર્ગ પર વિધર્મીઓ ઘ્‍વારા ગોળી મારી હત્‍યા નિપજાવતા તેના પડઘા સમગ્ર દેશમાં પડયા છે. ત્‍યારે સમગ્ર દેશમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદ, આંત્તરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદ, બજરંગ દળ અને અન્‍ય હિન્‍દુ સંગઠનો અને સમસ્‍ત હિન્‍દુ સમાજના યુવાનો ઘ્‍વારા આવેદનપત્ર આપી ઉગ્ર આક્રોશ વ્‍યકત કર્યો છે. વડિયા મામલતદાર વાઘેલા અને કુંકાવાવ ટીડીઓને પણ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્‍યા હતા. જેમાં જણાવ્‍યા અનુસાર વિધર્મીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી હિન્‍દુ યુવા કિશન ભરવાડનાં હત્‍યારા વિધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા અને ફાસ્‍ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સાથે તેના પરિવારને સુરક્ષા અને ન્‍યાય આપવાની માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપવામાં કુંકાવાવ ખાતે ખોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. જયારેવડિયામાં સ્‍થાનિક આગેવાનો અને ભરવાડ સમાજનાં લોકો સાથે હિન્‍દુ સંગઠનના આગેવાનો ઘ્‍વારા ઈન્‍ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી રાજયનાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે નમૂનારૂપ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

ઉના

ધંધુકાનાં યુવા કિશન ભરવાડની હત્‍યા ધર્માંધ લોકો ઘ્‍વારા ગોળી મારીને કરી દેવામાં આવી. આ ઘટના પાછળનું કારણ એવું જાણવા મળેલ કે કિશન ભરવાડ ઘ્‍વારા કોઈ વિડીયો અપલોડ કરવામાં આવેલ જેના સંદર્ભે તેના ઉપર એફઆઈઆર પણ થયેલ છે અને કિશન ભરવાડ ઘ્‍વારા માફી પણ માંગી લેવામાં આવેલ. તેમ છતાં તેની હત્‍યા જેહાદી લોકોએ કરી છે. આમ આવી ઘટનાઓ અનેક વખત દેશમાં બની રહેલ છે. ભઈશનિંદાભના નામે લખનૌવનાં હિન્‍દુવાદી લીડર કમલેશ તિવારી હોય કે દિલ્‍હીના ચંદન ગુપ્‍તા કે પછી મહુવાના જયેશ ગુજજરીયા હોય આવી અનેક ઘટનાઓને જેહાદી તત્‍વો ઘ્‍વારા અંજામ આપવામાં આવ્‍યા છે. ઉપરની ઘટનાઓ અને હાલમાં બનેલી કિશન ભરવાડની હત્‍યામાં એવું ફલીત થયું છે કે આ ઘટનાઓ પાછળ કોઈ એક-બે કે પાંચ વ્‍યકિતઓ નહી પણ દેશવ્‍યાપી સંગઠીત અને સુનિયોજીત નેટવર્ક કામ કરી રહૃાો છે. જેમાં વિધર્મીઓના ધાર્મિક વડાઓ સહિત અનેક ધર્માંધ લોકો જોડાયેલ છે જેઓ ઘ્‍વારા હિન્‍દુઓની આવી હત્‍યાઓનુંઆયોજન કરવામાં આવેલ છે અને હિન્‍દુઓને અંજામ અપાયા બાદ હત્‍યારાઓને રક્ષણ આપવા સાથે પૈસા અને વકિલો પણ રોકવામાં આવે છે. આમાં દેશવ્‍યાપી હિન્‍દુઓમાં ભયનું વાતાવરણ ઉભુ કરવા અને રાષ્‍ટ્રવાદી લોકોને ડરાવવા માટે એક યોજનાબઘ્‍ધ કારસ્‍તાન ચાલી રહૃાું છે. હિન્‍દુ યુવા સંગઠન ભારત ઘ્‍વારા એવી માંગ સરકાર સમક્ષ કરવામાં આવે છે કે કિશન ભરવાડનાં હત્‍યારાઓને ફાંસી આપવામાં આવે.

બગસરા

બગસરામાં ધંધુકાનાંયુવાનની હત્‍યા મુદે વિશ્‍વ હિન્‍દુ પરિષદ બગસરા બજરંગ દળ તથા કરણી સેના તથા માલધારી સમાજ ઘ્‍વારા આ ઘટનાને વખોડી કાઢી હત્‍યા કરનાર આરોપીને સજા મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

Related Posts