હવે તો કેળા બારે મહિના મળતા થઇ ગયા છે. કેળા સ્વાસ્થ્ય અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકો કેળા ખાઇને એની છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે કેળાની છાલ ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. સાંભળવામાં તમને અજીબ લાગશે પણ આ વાત એકદમ સાચી છે. કેળાની છાલથી ચહેરા પર મસાજ કરો છો તો ડાધા, ધબ્બા, ખીલ, કરચલી, ટેનિંગ જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. તો જાણી લો તમે પણ કેળાની છાલથી ચહેરા પર મસાજ કરવાની રીત અને ફાયદાઓ…
આ રીતે મસાજ કરો
સૌથી પહેલા ચહેરાને માઇલ્ડ ફેશવોશ કરી લો. ત્યારબાદ કેળાના છાલથી ચહેરાને સર્કુલર મોશનમાં 5 થી 7 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ 5 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી ઠંડા પાણીથી ફેશ વોશ કરી લો.
જાણી લો કેળાની છાલથી મસાજ કરવાના ફાયદા
- કેળાની છાલમાં લ્યુટિન હોય છે, જે સ્કિનને સૂરજના કિરણોથી બચાવવાનું કામ કરે છે. આમ, તમે ટેનિંગની સમસ્યાથી બચવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો.
- કેળાની છાલથી તમે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો. તમારા ચહેરા પર બહુ ડાધા ધબ્બા પડી ગયા છે તો કેળાની છાલથી મોં પર મસાજ કરો. આ મસાજ તમારે 10 મિનિટ સુધી કરવાનો રહેશે. આ મસાજથી ચહેરા પરના ખીલ, ડાધા-ધબ્બા જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જશે. આ સાથે તમારો ચહેરો ક્લિન થઇ જશે.
- કેળાની છાલ પગમાં ફાટી ગયેલી એડીઓને પણ રિપેર કરવાનું કામ કરે છે. તમારી એડી બહુ ફાટી ગઇ છે તો કેળાની છાલથી રોજ સવારે અથવા રાત્રે 10 મિનિટ સુધી મસાજ કરો અને પછી પગ ધોઇ લો.
Recent Comments