સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોનાકાળમાં ધન્વંતરિ રથના સંચાલકોને કોન્ટ્રાકટરોએ પેમેન્ટ ન આપતા ચીમકી

કોરોનાની ત્રીજી લહેરમાં રાજકોટ મનપા દ્વારા ધન્વંતરિ રથ ચલાવવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટરે ધન્વંતરિ રથના સંચાલકોને પેમેન્ટ આપવામાં ઠેંગો બતાવી રહ્યા છે. છેલ્લા ૭થી ૮ મહિનાથી સંચાલકોને પેમેન્ટ આપ્યું ન હોવાથી રથના સંચાલકો એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો હતો. મારા પતિએ કોરોનામાં જીવના જાેખમે કામ કર્યું હતું, દીકરાની સ્કૂલ ફી પણ ભરાઇ નથી, પેમેન્ટ આપવામાં આવશે નહીં તો સોમવારથી ભૂખ હડતાળ પર ઉતરીશું. પ્રથમ બે મહિનાના ૪૦ વાહચાલકો અને બીજા બે મહિનાના ૧૫૦ વાહનચાલકોને રૂપિયા આપવામાં ન આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ૬૦થી ૧ લાખ સુધીનું બિલ બાકી છે.

કોન્ટ્રાક્ટર પાસે પેમેન્ટ માંગ કરાતા તેઓ ધમકી આપતા હોવાનો આક્ષેપ વાહનચાલકોએ કર્યો છે. તેમજ આ બાબતે મનપાના અધિકારીઓ પણ હસ્તક્ષેપ ન કરતા હોવાનો વાહચાલકોએ દાવો કર્યો છે. સોમવાર સુધીમાં પેમેન્ટ નહીં મળે તો વાહનચાલકો ભૂખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ ૪૦ જેટલા ધન્વંતરિ રથના ડ્રાઇવરની હાલત કફોડી બની છે મારા પતિ ધન્વંતરિ રથ ચલાવતા હતા, અત્યારે ૭થી ૮ મહિનાનું પેમેન્ટ બાકી છે. અમારે ૭૦ હજાર રૂપિયા લેવાના છે અને ૪૦ ગાડીઓ છીએ. હાલ આર્થિક પરિસ્થિતિ ખોરંભાતા ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. મારા દીકરાની સ્કૂલની ફી ભરવાની બાકી છે, લાઇટ બિલ ન ભરાતા વીજ કનેક્શન કાપી ગયા છે. ગમે ત્યારે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ તો આવશે એટલે આપી જઇશું એવો જ જવાબ આપે છે. મારા પતિ કોરોના મહામારીમાં પોતાના જીવને જાેખમે નોકરી કરતા હતા. સોમવાર સુધીમાં અમને પેમેન્ટ મળી જવું જાેઇએ નહીંતર અમે ભૂખ હડતાળ પર ઉતરવાના છીએ.

Related Posts