અમદાવાદ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે ઉનાળામાં ખુબજ ઉપયોગી એવા પાણી પીવાના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓના માળા” નું પ્રગતિનગર ગાર્ડન, નારણપુરામાં ૧૦/૦૫/૨૨, મંગળવારના રોજ સવારે ૭ થી ૯ માં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સેવાકીય કાર્યમાં પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ દ્વારા સહયોગ આપવામાં આવે છે. પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટના ધીરેનભાઈ મહેતા, કુદરત ગ્રુપના નરોત્તમભાઈ ઠક્કર, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અજયસિંહ રાજપૂત, ચંદ્રવદનભાઈ ધ્રુવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.ઝંખના શાહ દ્વારા જાણવામાં આવ્યું કે કાળઝાળ ગરમીમાં આપણે પાણી વગર નથી રહી શકતા, તો આ અબોલ જીવોની હાલત કેવી થતી હશે, એની કલ્પના કરી જુઓ. જેમ આપણે ઉનાળામાં ગરમીના કારણે ચક્કર આવે છે કે અશક્તિ લાગે છે, એમ પશુ-પક્ષીઓને પણ ડીહાઇડ્રેશન થઈ જાય છે, તો આવા સમયમાં એમના પાણીમાં ORS નાખવું, જેથી તેમને શક્તિ મળે. એમની નમ્ર વિનંતી છે કે એક કુંડું આપના ઘરની બાલ્કની, ઘરની કે ઓફીસની બહાર અથવા બગીચામાં પાણી ભરીને આ અબોલ જીવો માટે મુકો. આવો આપણે સૌ સાથે મળીને ઉનાળામાં તરસ્યાં પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યસ્થા કરીને અબોલ જીવોનું જીવન બચાવીએ.
કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને પક્ષીઓના માળા વિતરણ

Recent Comments