આજના જમાના સમયમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું જરૂરી છે. જે પણ ભાજપા નો પ્રાથમિક સભ્ય છે દરેકે સતત સરકારી કાર્ય અને સંગઠનના કર્યો પ્રજા સુધી ઝડપી પહોચાડવાના માટે સોશિયલ મીડિયા શ્રેષ્ઠ માધ્યમ છે. સોશિયલ મીડિયામાં તમારો પ્રતિસાદ બધાજ જુવે છે. તેથી સી આર પાટીલ અને ગુજરાત બીજેપી દ્વારા આગામી સમયમાં સોશિયલ મીડિયા પર સરકાર અને સંગઠનના વિવિધ પ્રકારના છેલ્લા પાંચ વર્ષના કામો ઉપરાંત 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોને જનતા સુધી પહોંચાડવામાં આવશે.
લોકો સુધી આ કામ અને સંગઠનની કામગીરી પહોંચે તે હેતુથી ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે. ત્યારે નેશનલ મીડિયા સેલના અધ્યક્ષ પણ અગાઉ ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે પણ આ બાબતે ભાર મૂક્યો હતો ત્યારે સી આર પાટીલ ની આગેવાનીમાં અગાઉ સોશિયલ મીડિયાની બેઠક યોજવામાં આવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા સેલ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ અત્યારથી સક્રિય બની ગયું છે અને ચૂંટણી પહેલા સંગઠનને સરકારના કામોને પહોંચાડવાનો પ્રયત્ન સોશિયલ મીડિયા થકી કરવામાં આવશે.
Recent Comments