અમરેલી તાલુકાના કેરિયાચાડ મુકામે ગઈકાલે પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલમાં ૧૪૯ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબૂકનો સેટ, પેન, પેન્સિલ, ઈરેઝર, સ્કેલ વગેરે અભ્યાસ સામગ્રીનું વિતરણ પ્રા.જે.એમ.તલાવીયાની પ્રેરણાથી તેના અધ્યક્ષ સ્થાને શ્રી કેતનભાઈ વિનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું, જેની પાછળનો હેતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણનો હતો.
કેરીયાચાડ ગામના વતની અને છેલ્લા ૧૫ વર્ષથી સુરત સ્થાયી થયેલા એવા શ્રી કેતનભાઈ વિનુભાઈ દેસાઈનાં માતૃશ્રી શારદાબેન વિનુભાઈ દેસાઈનું અવસાન થયું. તેમનું શ્રાદ્ધ આ વર્ષે આવવાનું હતું પરંતુ શ્રી કેતનભાઈ અને તેમના પરિવાર દ્વારા એક નવી રાહ અપનાવી શ્રાદ્ધવિધિ – પૂજાવિધિ સદંતર બંધ રાખી અભ્યાસને મહત્વ આપતું સ્તુત્ય પગલું ભર્યું. પોતાના વતનની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા કરી અને તેમને ઉપયોગી અભ્યાસ સામગ્રીનું વિતરણ કરવાનું વિચાર્યું. સ્વ. શારદાબેનના પુત્રવધુ નિમીષાબેન,, પૌત્ર ધ્વનીલ, પુત્ર કેતનભાઈ, પુત્રી સોનલબેન સિદ્ધપુરના વરદ હસ્તે આ અભ્યાસ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. દેસાઈ પરિવારનાં આ નિર્ણયને આવકારવા માટે પ્રો. જે.એમ.તળાવીયા, હાઈસ્કૂલના આચાર્યા શ્રી રેખાબેન મિયાણી, પ્રા. શાળાના આચાર્યશ્રી ગુણાસાહેબ, સરપંચ શ્રી રાવતભાઈ ધાધલ, તાલુકા પંચાયતનાં માજી સદસ્ય શ્રી કીર્તિભાઈ ચોડવડીયા તથા ગામના સાથે અભ્યાસ કરતા મિત્રો હાજર રહ્યા હતા અને આ નિર્ણયને વધાવ્યો હતો. ઉપરાંત ગત વર્ષે આવેલ વાવાજોડાને કારણે કેરીયાચાડની ઓળખ સમાન લીમડાના વ્રુક્ષોને ભારે નુકશાન થયું હતું, ત્યાં ગામજનો દ્વારા ફરીથી વ્રુક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું તેમાં પણ શ્રી કેતનભાઈએ ૨૧ લીમડાના છોડને દત્તક લઇ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને વ્રુક્ષારોપણનાં કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. શ્રી કેતનભાઈ દેસાઈ તથા તેમના પરિવારનાં આ ઉમદા કાર્યને ગામલોકો તથા શાળા પરિવારે બીરદાવ્યુ હતું. અને આ પરિવાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણીના લઘુબંધુ શ્રી શરદભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિત રહયા હતા. પ્રા.જે.એમ.તલાવીયાએ જણાવેલ કે પોતાતાના ભૂતપૂર્વ વિધાર્થી ભાઈ – બહેનનું આ ઉદાહરણીય પગલું સ્તુત્ય છે.
Recent Comments