ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૩૨૦૦૯૨૯/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૨ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા .૨૪ / ૦૧ / ૨૦૧૩ નાં રોજ સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
→ પકડાયેલ આરોપીની વિગતઃ વિક્રમ વાલજીભાઇ સાથળા , ઉ.વ .૨૮ , રહે.ખડકાળા , તા.સાવરકુંડલા , જિ.અમરેલી હાલ રહે.આસોદર , તા.લાઠી , જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા , તથા પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ


















Recent Comments