અમરેલી જીલ્લામાં ચાલુ શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડવાના લીધે ખેડુતોને પોતાના પાકને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે , ખેડુતોએ મોઘાદાટ બિયારણ , રાસાયણીક ખાતર , જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને તથા શિયાળાની કડકડતી ઠંડીમાં રાત ઉજાગરા કરીને પોતાના ખેતરમા પાકને ઉછેરીને અને માવજત કરીને લણણી લાયક બનાવીને તૈયાર થયો ત્યારે અચાનક જ કુદરત રતા શિયાળાની સીઝનમાં વરસાદ પડતા ખેડુતોને પોતાનું વર્ષ નિષ્ફળ ગયું છે ત્યારે ખેડુતોને આ માવઠાની નુકશાની માથી બેઠા કરવા માટે આપની સરકાર માથી તત્કાલ સર્વે કરવા માટે તથા નુકશાનીનું યોગ્ય વળતર આપવા વિનતી સહ ભલામણ કરતાં પરેશ ધાનાણી.
અમરેલીમાં ક્મોસમી વરસાદથી થયેલ પાકને નુકશાનનું સર્વે કરી વળતરની ભલામણ કરતાં પરેશ ધાનાણી

Recent Comments