રાષ્ટ્રીય

પાકિસ્તાનના કરાચીમાં અહમદિયા સમાજની મસ્જિદમાં તોડફોડ

તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનની શરૂઆત ખાદિમ હુસૈન રિઝવી દ્વારા ૨૦૧૭માં કરવામાં આવી હતી. ખાદિમ હુસૈન રિઝવી ધાર્મિક વિભાગના કર્મચારી અને લાહોરની એક મસ્જિદના મૌલવી હતા. ૨૦૧૧માં જ્યારે પંજાબ પોલીસના ગાર્ડ મુમતાઝ કાદરીની ગવર્નર સલમાન તાસીરે હત્યા કરી ત્યારે તેમણે મુમતાઝ કાદરીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ તેમને પંજાબના ધાર્મિક વિભાગની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.૪૦ લાખની વસ્તી ધરાવતા અહમદિયાઓ સાથે ૭૦ના દાયકાથી ભેદભાવ કરવામાં આવે છે.

૧૯૮૪માં જનરલ ઝિયાઉલ હકે અહમદિઓને મુસ્લિમ તરીકે ઓળખનો અધિકાર અને અલગથી નમાજ પઢવાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. ત્યારથી પાકિસ્તાનમાં તેઓને સેકન્ડ ક્લાસ નાગરીકો ગણીને તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.પાકિસ્તાનમાં કરાચીમાં ૧૦ થી ૧૫ લોકોએ અહમદિયા સમાજની મસ્જિદમાં તોડફોડ કરી હતી. હુમલો કરનારા લોકો સુન્ની સમર્થક કટ્ટરપંથી ઈસ્લામિક જમાત તહેરિક-એ-લબ્બૈક (્‌ન્ઁ)ના હતા. તોડફોડ દરમિયાન હુમલાખોરોએ અહમદિયા સમાજના વિરોધમાં નારા લગાવ્યા હતા, પરંતુ ત્યાં હાજર પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નહોતી.

જાે કે, બાદમાં કરાચી પોલીસે હ્લૈંઇ નોંધીને ૫ શકમંદોની અટકાયત કરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. અહમદિયા સમુદાયની મસ્જિદ પર છેલ્લા ૩ મહિનામાં આ પાંચમો હુમલો છે. આ પહેલા કરાચીના જમશેદ રોડ પર અહમદી જમાતખાતાના મિનારા તોડી નાંખવામાં આવ્યા હતા. ઘટના બાદ અહમદિયા સમુદાયના લોકો સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

Related Posts