ગોહિલવાડમાં આવેલાંપ્રખ્યાત શક્તિધામ ભગુડા ખાતેથી દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રીઓના સંઘનું તાજેતરમાં પ્રસ્થાન થયું હતું. ભગુડા થી સતત છઠ્ઠા વર્ષે 28 યુવાનો આ વર્ષના પદયાત્રા સંઘમાં જોડાયા છે. જે સતત દસ દિવસ પદયાત્રા કરીને જગત મંદિર દ્વારકા ખાતે પહોંચીને ભગવાન દ્વારકાધીશના શરણોમાં શીશ ઝૂકાવશે. છેલ્લા છ વર્ષથી ભગુડા થી દ્વારકાધીશના દર્શને જવા માટે યુવાનો દ્વારા પગપાળા યાત્રા કરવામાં આવે છે.
ભગુડા ગામ ખાતેથી સતત છઠ્ઠા વર્ષે યાત્રાધામ દ્વારકા જતા પદયાત્રી સંઘનું પ્રસ્થાન થયું

Recent Comments