મુંબઈમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આગામી સપ્તાહે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ
મુંબઈમાં ભક્તિધામ મંદિર ખાતે શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આગામી સપ્તાહે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના જાણિતા વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આગામી સપ્તાહે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મુંબઈમાં સાયન વિસ્તારમાં ભક્તિધામ મંદિર ખાતે ઊંટવાળા પઢિયાર પરિવારના આયોજન સાથે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે. ગુરુવાર તા.૨૫થી બુધવાર તા.૩૧ દરમિયાન આ જ્ઞાનયજ્ઞમાં શ્રી મનજીબાપા બગદાણા તથા શ્રી હબીબભાઈ હાલાણીનું પ્રેરક સાનિધ્ય રહેનાર છે.
Recent Comments