ગુજરાત

હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશેબંને સત્રોની પરીક્ષામાં શ્રેષ્ઠ માર્કસને અંતિમ ગણાશે

શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ મંત્રાલય દ્વારા સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આજે શાળા શિક્ષણ-પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની જાેગવાઈઓને લાગુ કરતી વખતે આ જાહેરાતો કરવામાં આવી છે. જે મુજબ હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે. જેમાં વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ હશે કે તેઓ બંને સત્રોની પરીક્ષામાં શ્રેષ્ઠ માર્કસને અંતિમ ગણી શકે. બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં માત્ર એક જ વખત તમામ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. શિક્ષણ મંત્રાલય દ્વારા નવી પરીક્ષા પેટર્ન આધારિત બોર્ડ પરીક્ષાઓ વિષયોને લગતી વિદ્યાર્થીઓની સમજ અને સ્પર્ધાત્મક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરશે. તેમજ વર્ગમાં નકલોને ‘કવર’ કરવાની વર્તમાન પ્રથા ટાળવામાં આવશે.

નકલની કિંમત પણ ઑપ્ટિમાઇઝ કરવામાં આવશે. ઉપરાંત, શાળા બોર્ડ યોગ્ય સમયે ‘ઓન ડિમાન્ડ’ પરીક્ષાઓ ઓફર કરવાની ક્ષમતા વિકસાવશે. વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે વર્ષમાં બે વખત પરીક્ષા યોજ્યા બાદ જે નંબરો સારા હશે તેને જ અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ફેરફારો હેઠળ, ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની સ્ટ્રીમ પસંદ કરવાની ફરજિયાત હવે દૂર કરવામાં આવી છે. હવે આ વર્ગોમાં વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો પસંદ કરી શકશે. આ સિવાય શિક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓએ ૧૧મા અને ૧૨મા ધોરણમાં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જાેઈએ. ૨૦૨૪માં પાઠ્‌યપુસ્તકો વિકસાવવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં તમામ બોર્ડના અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓએ સાયન્સ, કોમર્સ, આર્ટસ, વોકેશનલ વગેરેમાંથી કોઈપણ એકની પસંદગી કરવાની હોય છે.

રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક સમીક્ષા અને દ્ગજી્‌ઝ્ર સમિતિની સંયુક્ત વર્કશોપ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કસ્તુરીરંગનના માર્ગદર્શન હેઠળ સ્ટીયરિંગ કમિટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેમણે સરકારને સોંપી દીધી છે. સરકારે દ્ગઝ્રઈઇ્‌ને આપી દીધી છે. દ્ગઝ્રઈઇ્‌ દ્વારા બે સમિતિઓ, રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને પાઠ્‌યપુસ્તક સમિતિ (દ્ગજી્‌ઝ્ર)ની રચના કરવામાં આવી છે. આ બંને સમિતિઓ ૨૧મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને મૂળભૂત ભારતીય વિચારસરણી પર આધારિત અભ્યાસક્રમ તૈયાર કરશે.

Related Posts