મૂળ સાવરકુંડલાના વતની એવા પેઈન્ટર કેતન કંસારા (કેતન જે. ગોરડિયા) જેઓ હાલ છેલ્લા ૧૬ વર્ષથી જામનગરની જી. ડી. ગોએન્કા પબ્લિક સ્કૂલ (સીબીએસઈ)માં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ – ૨૦૨૩-૨૪ માં સીબીએસઈ સહોદય સૌરાષ્ટ્ર દ્વારા આયોજીત એવોર્ડ સેરેમનીમાં સૌરાષ્ટ્રની ૪૮ સીબીએસઈ શાળાઓમાંથી કેતન જે. ગોરડીયાએ ઇનોવેટીવ ટીચર તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો .જે સાવરકુંડલાનું ગૌરવ કહેવાય.આમ પણ સાવરકુંડલા શહેરે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય ધરાવતા અનેક મહાનુભાવો આપ્યા છે.
મૂળ સાવરકુંડલાના હાલ જામનગરની જી. ડી. ગોએન્કા પબ્લિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન જે ગોરડિયાની અનોખી સિધ્ધિ.

Recent Comments