સાવરકુંડલા ખાતે જાંબાઝ એ.એસ.પી. વલય વૈધની નિમણુંક કરવામાં આવી છે ત્યારે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ આરોગ્ય સમિતિના સદસ્ય અને લોહાણા સમાજના અગ્રણી એવા રાજુભાઇ શીંગાળાએ એ.એસ.પી.વલય વૈધની એએસપી કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને એએસપી સાહેબના ઉજ્જ્વળ ભવિષ્યની સાથે તેમના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેર કાયદો વ્યવસ્થા ક્ષેત્રે એક નવી ઓળખ પ્રસ્થાપિત કરે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
સાવરકુંડલા ખાતે નવનિયુક્ત એ.એસ.પી. વલય વૈધની શુભેચ્છા મુલાકાતે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળા.


















Recent Comments