સાવરકુંડલાના મંદિરો અને સંત શિરોમણીના આશીર્વાદ મેળવવા ભાજપ ઉમેદવાર ભરતસુતરીયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-30-at-6.32.31-PM-1140x620.jpeg)
અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા આજે સાવરકુંડલાના આંગણે પધારીને અલગ અલગ મંદિરોના દર્શન કરીને સંત શિરોમણીના આશીર્વાદ મેળવ્યા હતા આ તકે ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે ભાજપના પદાધિકારીઓ સંગાથે રહીને સાવરકુંડલા ના રિદ્ધિ સિદ્ધિ મંદિરે દર્શન કર્યા હતા ને નાવલી નદીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા નું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું ને બાદ માનવ મંદિર આશ્રમ
ખાતે સંત શિરોમણી ભક્તિબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે નિર્દોષાનંદ આશ્રમ, બાઢડા સનાતન આશ્રમની મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા હતા અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા સાથે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદ પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, પાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા સહિતના સંગઠનના હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments