આજે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર નું ફોર્મ ભરવા અગાઉ જન આશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, પૂંજા વંશ, ડો.કનુભાઇ કળસરીયા સહિતના નેતાઓએ જેનીબેન ઠુમ્મરને જીતાડવા હાંકલ કરી હતી આ પ્રસંગે જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા ને કોંગ્રેસના નેતાઓ એકબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પરથી કરી હતી ને વીરજી ઠુમ્મરની ટીકીટ કાપવામાં પરેશ ધાનાણી સફળ થયો ને જેનીબેનને ટીકીટ આપી હતી તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું ને વીરજી ઠુમ્મર આ વખતે પણ પરેશ ધાનાણી ની ટીકીટ કાપવામાં નિષ્ફળ ગયા
તેવું જણાવી ને પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થતાં જણાવ્યું હતુ ને હાસ્યનું મોજું ફરી વળ્યુ હતું ને અમરેલીની જવાબદારી તમામ કાર્યકર્તાઓને સોપુ છું જેનીબેનને જીતાડી દેજો તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું જ્યારે આ જન આશીર્વાદ સંમેલનમાં ઉડીને આંખે વળગે તેવું બાપ વીરજી ઠુમ્મર અને દીકરી જેની ઠુમ્મર વચ્ચેના દીકરી પ્રેમ છલકાઈ ગયો હતો 2009 માં દીકરીને સાસરે વળાવી હતી ને આજે અમરેલીના ખોળે સોંપવા આપ્યો છું એને જીતાડી દેજો તેવું કહીને વીરજી ઠુમ્મર ની આંખો ભીની થઈ ગયેલ હતી તો પ્રતાપ દુધાતે ફરી ભાજપના ઉમેદવાર ભરત સૂતરીયાનું નામ લીધા વિના પોપટ સાથે સંબોધન કરીને બોલવાની ના પાડી છતાં ભાંગરો વાટયો હતો જ્યારે જન આશીર્વાદ સંમેલન બાદ ટ્રેકટર લઈને કોંગી નેતાઓ કલેકટર કચેરીએ ફોર્મ ભરવા પહોચ્યા હતા ને કલેકટરને ફોર્મ જેની ઠુમ્મરે રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે વીરજી ઠુમ્મરે ફોર્મ રજૂ કર્યું હતું ને જીતનો વિશ્વાસ જેની ઠુમ્મર અને પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યો હતો
Recent Comments