અમરેલી

લોકસભાની ચૂંટણીના મતદાન માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવી

આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ અમરેલી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાશે. ગુજરાત કારખાના ધારા-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫(બી) (૦૧) મુજબ સંસ્થા-સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવી.

           આ જોગવાઇ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગી-કર્મચારીઓના પગારમાંથી કપાત કરવાની રહેતી નથી. કોઇ શ્રમિકની ગેરહાજરીથી કામગીરીમાં વિક્ષેપનું કે કામગીરી ખોરંભાઇ જવાનું જોખમ થાય તેવી શક્યતાઓ કે સંજોગો થાય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી-કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવી. જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુધ્ધ વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી  હાથ ધરવામાં આવશે, તેમ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય જુનાગઢ નાયબ નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts