રાજ્ય સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી છે. ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે “બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત,ખાનગી સંસ્થા,ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ” તથા “રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ” યોજના માટે ખેડૂતોએ, આઇ-ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર તા.૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં અરજી કરવી. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા.અમરેલી જિલ્લાના ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ તે અરજીની પ્રિન્ટ મેળવી જરુરી સાધનિક કાગળો, નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ના સરનામે મોકલી આપવી. આ અંગે વધુ વિગતો માટે બાગાયત ભવન, અમરેલીનો સંપર્ક ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર કરવો, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
બાગાયત ખાતાની નવી પ્રોત્સાહક યોજનાઓનો લાભ લેવા તા.૧૧ ઓક્ટોબર સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

Recent Comments