ભાવનગર

વલ્લભીપુર તાલુકામાં ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઈ

ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ભાવનગરના વલ્લભીપુર ખાતે ગઢડાના ધારાસભ્યશ્રી શંભુપ્રસાદ ટૂંડીયાના નેજા હેઠળ તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં વલ્લભીપુરના નગરજનો તેમજ વિદ્યાર્થીઓએ આન, બાન અને શાન સાથે વલ્લભીપુરના મુખ્યમાર્ગો પર તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.

Related Posts