આંધ્રપ્રદેશના અનાકાપલ્લે વિસ્ફોટમાં ૧૫ કામદારોના મોત નિપજ્યાં હોવાના સમાચાર મળ્યા
બુધવારનો દિવસ એક કંપનીના કર્મચારીઓ માટે માતમના સમાચાર લઈને આવ્યો. કર્મચારીઓ કંપનીમાં કામ કરી રહ્યાં હતા એ દરમિયાન જ અચાનક વિનાશક વિસ્ફોટ થયો અને જાેતજાેતામાં અનેક જિંદગીઓ વિકરાફ્ર આગમાં બફ્રીને ભડથું થઈ ગઈ. આ ઘટના બની છે આંધ્રપ્રદેશની એક ફાર્મા કંપનીમાં. આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલી એક ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની છે. મફ્રતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલી કેમિકલ કંપનીમાં આ દુર્ઘટના બની છે. જેમાં કેમિકલ કંપનીના રિએક્ટરમાં મોટો વિસ્ફોટ થયો છે.
કંપનીમાં થયેલાં ભયાનક વિસ્ફોટમાં ૧૫ કામદારોના મોત નિપજ્યાં હોવાના સમાચાર મફ્રી રહ્યાં છે. જ્યારે આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે. અચ્યુતપુરમ જીઈઢ સ્થિત એક કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૮ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના લંચ સમયે બની હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટફ્રી હતી. ઘટના સ્થફ્રના વિઝ્યુઅલમાં રિએક્ટરમાંથી ધુમાડો નીકફ્રતો જાેવા મફ્રી રહ્યો છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. કંપનીમાં થયેલાં વિનાશક વિસ્ફોટની ઘટના અને અનેક લોકોના મોતની ખબરને પગલે આંધ્રપ્રદેશના ગૃહ રાજ્યમંત્રી વાંગલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને એસપીને તાત્કાલિક વિસ્ફોટની જગ્યાએ દોડાવ્યાં. ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર મફ્રે તેવી વ્યવસ્થા કરવા સરકારની સુચના.
Recent Comments