જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા તા.૨૦ સપ્ટેમ્બર (શુક્રવાર) સમય: સવારે ૧૧:૦૦ કલાકે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી એક-૫/૬, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોઈપણ ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઇ, ધોરણ-૧૨ પાસ, ૧૦ પાસ તથા મિકેનિકલ કામ કરી શકે તેવો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે સેલ્સ એક્ઝિક્યુટિવ, ટ્રાઈની સિનિયર એકાઉન્ટન્ટ, આસિ. એકાઉન્ટન્ટ, મિકેનિક, હેલ્પર વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતી મેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યું માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે રોજગાર વિનિમય કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) ની મુલાકાત લેવા રોજગાર અધિકારીશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
ભાવનગર રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૦ સપ્ટેમ્બરના રોજ ભરતી મેળો યોજાશે

Recent Comments