fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિકાસના વિવિધ કામો ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.

તા. ૨૦/૯/૨૦૨૪ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં વિકાસના અનેક કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. સાવરકુંડલા ના મહુવા રોડ પર આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ પાસે  રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સાવરકુંડલા ગીરધર વાવ વચ્ચે રેલવે ઓવર બ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ ઉર્જા વિભાગ દ્વારા વીજળી ડિસ્ટ્રીબ્યુશન વધારે મજબૂત બનાવવા અને ખેડૂતોને પૂરતા વોલ્ટેજ સાથે વિજ પુરવઠો મળી રહે તે માટે સાવરકુંડલાના આદસંગ, ભોંકરવા અને ગોરડકા નવા ત્રણ ૬૬ કે.વી સબ સ્ટેશનનું ઇ-લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમજ આ કાર્યક્રમ અંતર્ગત લીલીયા ગ્રામ પંચાયત ને સ્વચ્છતા માટે જેટીંગ મશીન નું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે ધારાસભ્ય મહેશભાઇ કસવાળા,કૌશિકભાઇ વેકરિયા, હીરાભાઇ સોલંકી, જનકભાઇ તળાવિયા, જે.વી. કાકડીયા અને સાંસદ ભરતભાઇ સુતરિયા સહિતના નેતાઓ ઉપરાંત ભાજપ ના કાર્યકર્તાઓ જોડાયા હતા.  સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા સંનિષ્ઠ પ્રયત્નો થી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા માટે માતબર ગ્રાન્ટો લાવ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાવરકુંડલા ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા જે સાવરકુંડલા – લીલીયા ની જનતાને પ્રગતિના પંથ પર લઇ જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/