સુપ્રીમ કોર્ટે ૈંઁજી ડી રૂપા સામે માનહાનિના કેસમાં કાર્યવાહી પરનો વચગાળાનો સ્ટે ૫ નવેમ્બર સુધી લંબાવ્યો છે. હવે આ કેસની અંતિમ સુનાવણી ૫મી નવેમ્બરે કોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે ૈંઁજી ડી રૂપાની અરજીને સુનાવણી માટે મંજૂર કરી છે. જસ્ટિસ અભય એસ ઓકા અને એજી મસીહની ખંડપીઠમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ૈંછજી રોહિણી સિંધુરીએ ૈંઁજી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કર્ણાટકની ૈંછજી રોહિણી સિંધુરી અને ૈંઁજી ડી રૂપા મૌદગીલ વચ્ચેનો વિવાદ ચર્ચામાં છે. આ બંને અધિકારીઓ વચ્ચે વિવાદ કેટલીક તસવીરોને કારણે શરૂ થયો હતો. આરોપ છે કે ૈંછજી રોહિણીએ ૈંઁજી ડી રૂપાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જ્યારે આઈપીએસને આ વાતની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ કર્યો.
આ પછી તેણે ૈંછજી રોહિણીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી. આટલું જ નહીં, ૈંઁજીએ દાવો કર્યો હતો કે ૈંછજી રોહિણીએ પોતાના ફોનમાંથી ત્રણ પુરુષ ૈંઁજી અધિકારીઓને પોતાની તસવીરો મોકલી હતી. બંને પક્ષો વચ્ચેનો આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ૈંછજી રોહિણીએ ૈંઁજી ડી રૂપા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે ૈંઁજી તેની પાસેથી પૈસા પડાવવા માંગે છે. તેમના અંગત, સામાજિક અને વ્યાવસાયિક જીવનને બરબાદ કરવાના આશયથી આ કૃત્યો કરવામાં આવ્યા હતા. ૈંછજી રોહિણીએ ૈંઁજી ડી રૂપા પાસેથી ૧ કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું હતું. કોર્ટે ૈંછજીની અરજી સ્વીકારી અને ૈંઁજી રૂપાને સમન્સ મોકલ્યા. આ પછી ૈંઁજી ડી રૂપા ૈંછજી રોહિણી સિંધુરીને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે તેની સામે નોંધાયેલ અપરાધિક માનહાનિનો કેસ કાઢી નાખવાની માંગ કરી હતી. ૈંછજી રોહિણી સામે કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી.
Recent Comments