ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી શતચંડી યજ્ઞ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પર્વે શતચંડી યજ્ઞ આરાધના શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે વિશ્વકલ્યાણ અર્થે અપાતી આહુતિઓ જાળિયા શનિવાર તા.૫-૧૦-૨૦૨૪ નવરાત્રી પર્વે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે શતચંડી યજ્ઞ આરાધના ચાલી રહેલ છે. જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે વર્ષભર વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ થતી રહે છે.  શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ પ્રસંગે આશ્રમમાં વિશ્વકલ્યાણ અર્થે શતચંડી યજ્ઞ આરાધના ચાલી રહેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે ભૂદેવો દ્વારા  વિશ્વકલ્યાણ અર્થે ભગવતી ઉપાસના રૂપે આહુતિઓ અર્પણ થઈ રહી છે.

Related Posts