પોલીસે પ્રોહિબિશન અને હુમલાની બે અલગ અલગ ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લામાં ચેકપોસ્ટ પર વનવિભાગના કર્મચારીઓનો આતંક જાેવા મળ્યો હતો. વિજયનગરના કાલવણ ચેકપોસ્ટ પર ૧૦૮ના ડ્રાઈવર અને કર્મચારી પર એ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠામાં વિજયનગરના કાલવણ ચેકપોસ્ટ પર વનવિભાગના કેટલાક કર્મીઓએ વાહનચાલકોને ચેકપોસ્ટ પર રોકીને હેરાન કરતા હતા. વાહનચાલકો હેરાન થતાં સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. દર્દીને હોસ્પિટલ મુકીને પરત ફરેલ ૧૦૮ના ચાલક અને કર્મચારી પર આરએફઓએ હુમલો કર્યો હતો.
ફરિયાદમાં નોંધાયું છે કે એમ્બ્યુલન્સ ચાલક પરત ફરી રહ્યા હતા દરમિયાન રસ્તા પર બેરીકેડ મૂક્યા હોવાથી તેને ખસેડવાનું કહેતા વન વિભાગના કર્મચારીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં ૧૦૮માંથી નીચે ઉતરતા જાતે ખસેડવા જતા ઢોર માર માર્યો હતો. અન્ય કાર ચાલકે દરમિયાનગીરી કરી તો તેને પણ લાકડી વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરએફઓ જયેન્દ્ર વાઘેલા અને વનરક્ષક સહિત ત્રણ કર્મીઓ હુમલો કર્યો હોવાનું ખુલ્યુ છે. પોલીસે પ્રોહિબિશન અને હુમલાની બે અલગ અલગ ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે.
અસારવા સિવિલ ની કેન્સર હોસ્પિટલ ના ગેટ સામે મારામારી થઈ હતી. બાદમાં આશાપુરા પાર્લર માં કામ કરતા વેપારી અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ તરીકે ઊભેલા ૫-૬ લોકોએ તેને લાકડીઓ અને પાઇપ વડે માર માર્યો હતો. પોલીસ તરીકે દેખાતા લોકોએ વૃદ્ધો અને મહિલાઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ચા પીવા બાબતે ઝઘડો થયો હોવાની આશંકા હતી.
Recent Comments