ભાવનગર જિલ્લાનાં યુવાનો લશ્કરી/અર્ધલશ્કરી/પોલિસ ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે અત્રેની કચેરી દ્વારા યુવાનોને તાલીમ આપવાં ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન થનાર છે.તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેમની ઉમર ૧૭.૫ વર્ષ થી ૨૧ વર્ષ,લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ લઘુત્તમ ૪૫ % અને દરેક વિષયમાં લઘુત્તમ ૩૩ ગુણ તથા ઉંચાઈ:૧૬૮ સે.મી.,વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭(+૫ ફૂલાવો) સે.મી.,હોય તેવાં ઉમેદવારો અરજી કરી શકશે.વધુમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી,એફ-૫/૬, એનેક્સી બિલ્ડીંગ,બહૂમાળી ભવન,ભાવનગર કચેરી ખાતેથી વહેલા તે પહેલાનાં ધોરણે ચાલુ દિવસો દરમિયાન રૂબરૂ તમામ પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે.
ભાવનગર રોજગાર કચેરી દ્વારા લશ્કરી અર્ધલશ્કરી પોલિસ ભરતીલક્ષી નિવાસી તાલીમવર્ગનું આયોજન

Recent Comments