તાજેતરમા અમરેલી જીલ્લા ના નવનિયુક્ત અધિક્ષક (એસ.પી.) તરીકે શ્રી સંજય ખરાત સાહેબ ની નિમણુંક થતા હંમેશ જીલ્લા ના તમામ નાના-મોટા વેપારીઓ માટે હંમેશા ચિંતિત એવા અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી, સાવર કુંડલા વેપારી મંડળ ના કાર્યકારી પ્રમુખ, સાવર કુંડલા કે.કે. હોસ્પિટલ રોગી સમિતિના સદસ્ય..તેમજ સારવાર કુંડલા રધુવંશી સમાજ ના વરિષ્ઠ આગેવાન શ્રી રાજુભાઇ શીંગાળા એ નવનિયુક્ત એસ.પી. શ્રી સંજય ખરાત સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી તેમને સંત મુળદાસ ની પવિત્ર ભુમી અમરેલી મા ઉપરણું ઓઢાડી સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા.. અને અંતર ની શુભકામનાઓ પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી..આ તકે રાજુભાઇ શિંગાળા એ અમરેલી જિલ્લાના નાના મોટા વેપારીઓ ની સ્થિતિ થી વાકેફ કર્યા હતા..નવનિયુક્ત એસ.પી. સાહેબે જણાવ્યુ હતુ કે જિલ્લાના તમામ નાના મોટા વેપારી ભાઈઓ ભયમુક્ત વાતાવરણ મા પોતાના વેપાર ધંધા ઉદ્યોગ કરી શકે તે માટે સંપૂર્ણ પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી..અંત મા રાજુભાઇ શીંગાળા ની શુભેચ્છા મુલાકાત ખુબ પ્રભાવિત રહી હતી..રાજુભાઇ શીંગાળા એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.
નવનિયુક્ત જિલ્લા અધિક્ષક સાહેબ નુ સન્માન કરતા અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી શ્રી રાજુભાઇ શીંગાળા

Recent Comments