બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય પ્રભુ દાસની જામીન અરજી આજે બીજી વખત ફગાવી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ડેઈલી સ્ટાર અનુસાર, ચટગાંવ સેશન્સ કોર્ટના જજ સૈફુલ ઈસ્લામે બંને પક્ષોની દલીલો વાંચ્યા બાદ આ ર્નિણય આપ્યો હતો. આ કેસની સુનાવણી લગભગ અડધો કલાક ચાલી હતી. ચિન્મય દાસ પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. આ મામલે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને ૨૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ચુકાદા બાદ ચિન્મય પ્રભુના વકીલ અપૂર્વ ભટ્ટાચાર્યએ કહ્યું કે, તેઓ જામીન અંગે હાઇકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ૧૧ વકીલોની ટીમ સવારે ૧૦.૧૫ વાગે ચટગાંવ કોર્ટ પહોંચી હતી. આ પછી લગભગ ૧૧ વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ.
તે જ સમયે સુનાવણી દરમિયાન ચિન્મય પ્રભુને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ન હતા. અગાઉ ૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ કોલકાતા ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધા રમણે કહ્યું-“બધાને આશા હતી કે નવા વર્ષમાં ચિન્મય પ્રભુને આઝાદી મળશે,પરંતુ ૪૨ દિવસ પછી પણ આજે સુનાવણીમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ સરકારે તેમને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવું જાેઈએ”. ૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ચટગાંવ કોર્ટના જજ સૈફ-ઉલ ઈસ્લામે અરજીને ફગાવી દીધી હતી કારણ કે આગોતરી સુનાવણીની વિનંતી કરતી અરજી દાખલ કરનાર વકીલ પાસે સંત વતી પાવર ઓફ એટર્ની ન હતી. બાંગ્લાદેશ પોલીસે ૨૫ નવેમ્બરે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. તેઓ ચટગાંવ જઈ રહ્યા હતા.
ઘટનાસ્થળે હાજર ઇસ્કોનના સભ્યોએ જણાવ્યું હતું કે, ડીબી પોલીસે કોઈ ધરપકડ વોરંટ દર્શાવ્યું નથી. તેઓએ ફક્ત કહ્યું કે તેઓ વાત કરવા માગે છે. આ પછી તેઓ તેને માઈક્રોબસમાં લઈ ગયા. ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (ડીબી)ના એડિશનલ પોલીસ કમિશનર રેઝાઉલ કરીમ મલિકે જણાવ્યું હતું કે, પોલીસની વિનંતીને પગલે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય દાસને કાયદાકીય પ્રક્રિયા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે. ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીનું સાચું નામ ચંદન કુમાર ધર છે. તેઓ ચટગાંવ ઇસ્કોનના વડા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ દેશ છોડી દીધો હતો. આ પછી હિન્દુઓ વિરુદ્ધ મોટા પાયે હિંસક ઘટનાઓ બની. આ પછી બાંગ્લાદેશી હિન્દુઓ અને લઘુમતીઓના હિતોની રક્ષા માટે સનાતન જાગરણ મંચની રચના કરવામાં આવી. ચિન્મય પ્રભુ તેના પ્રવક્તા બન્યા.
સનાતન જાગરણ મંચ દ્વારા ચિન્મયે ચટગાંવ અને રંગપુરમાં ઘણી રેલીઓને સંબોધિત કરી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ૨૫ ઓક્ટોબરના રોજ નતન જાગરણ મંચે ૮ મુદ્દાની માગ સાથે ચટગાંવના લાલદીઘી મેદાનમાં રેલી યોજી હતી. ચિન્મય કૃષ્ણ દાસે પણ આ વાતને સંબોધી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ન્યૂ માર્કેટ ચોકમાં આઝાદી સ્તંભ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ પર આમી સનાતની લખેલું હતું. રેલી બાદ ૩૧ ઓક્ટોબરના રોજ બેગમ ખાલિદા જિયાની મ્દ્ગઁ પાર્ટીના નેતા ફિરોઝ ખાને ચટગાંવમાં ચિન્મય કૃષ્ણ દાસ સહિત ૧૯ લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. તેના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓએ જાેર પકડ્યું છે. આ સિવાય લઘુમતીઓ સાથે જાેડાયેલા ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ નેતાઓને ધમકીઓ મળી રહી છે. ચિન્મય દાસ લાંબા સમયથી હિંદુ મંદિરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.



















Recent Comments