ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ફેબ્રુઆરી – ૨૦૨૫ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૨/૨૦૨૫ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી ક્રમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી તેમ ઘોઘા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
Recent Comments