ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સાહિત્ય અકાદમી દ્વારા જૈસોર ના અભયારણ્ય વચ્ચે વાર્તા અને બાળગીતની શિબિરનું સમાપન. (પાલનપુર) સમગ્ર દેશની એક માત્ર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગુજરાતમાં હોવું આપણા માટે ગૌરવની વાત છે.ભારતીય પરંપરાગત મૂલ્યો અને બાળકો માટેના સર્વાંગીણ વિકાસના અભિગમ માટે આ યુનિવર્સિટી કાર્યરત છે. ગુજરાત સરકાર ધ્વારા આ આગવી યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ઘ્વારા સમગ્ર દેશની એક માત્ર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં ગિજુભાઈ બધેકા ચેર કાર્યરત છે. અહીં ઉલ્લેખ જરૂરી છે કે બાળ સાહિત્યના ભીષ્મ પિતામહ અને મૂછાળી માએ કરેલ નાની ઉંમરના બાળકો માટેના શૈક્ષણિક વાતો,વિગતો અને વિચારોને ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં ગિજુભાઈ બધેકાની આગવી ઓળખ છે.
આવા આગવા રાજ્ય ગુજરાત અને અનોખી યુનિવર્સિટી ધ્વારા સતત બાળકો માટે વિશેષ કાર્યો થતા રહ્યા છે. આવો જ એક આગવો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલઘોડા સ્થિત અરણ્યધામ સંકુલ ખાતે રાજ્ય કક્ષાની બાળવાર્તા અને આવા ગીતના નવ સર્જન માટેની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ગિજુભાઈ બધેકા ચેરના પ્રોફેસર ડૉ. ટી.એસ. જોષીના માર્ગદર્શન અને સહયોગ થકી આ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના અને ગુજરાતી સાહિત્ય માટે કાર્યરત સાહિત્ય અકાદમી ધ્વારા આ કાર્યશાળામાં વિશેષ સહયોગ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના ગામડાઓ સુધી શાળાઓ છે. પરંતુ બાળકો રોજ ડુંગર ચઢે અને ઊતરે એના બદલે એમને છાત્રાવાસની વ્યવસ્થા અપાય તો નિયમિતતાને કારણે બાળકો શિક્ષણ મેળવતા થાય. આવા આશય સાથે કાર્યરત અરણ્યધામ ખાતે
સમગ્ર રાજ્યમાંથી બાલ સાહિત્યના પ્રબુધ્ધ સર્જકો એક સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.આ સર્જકોને માર્ગદર્શન માટે ડૉ.મહેન્દ્ર ચોટલીયા (આણંદ),
શ્રી કૃષ્ણ દવે( અમદાવાદ) રમણલાલ સોની (ટીંટોઈ મોડાસા) કીર્તિદાબેન બ્રહ્મભટ્ટ(ગાંધીનગર) અને ગિરા પિનાકીન ભટ્ટ અને વિશ્વ વિક્રમી બાળ સાહિત્યકાર ડૉ.ભાવેશ પંડ્યા ઘ્વારા માર્ગદર્શક તરીકે જવાબદારી નિભાવવામાં આવી હતી. રાજ્યમાંથી ઉપસ્થિત બાળ સાહિત્યના સર્જકો માટેની આ કાર્યશાળાની ખાસિયત એ હતી કે પાંચ વર્ષ સુધીના બાળકો માટે વિવિધ પ્રકારનું સાહિત્ય ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી માટે તૈયાર કરવામાં આવ્યું. આવનાર દિવસોમાં આ સાહિત્યને સચિત્ર ઉપરાંત અન્ય પ્રકારે તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યશાળાના મહત્વ અંગે સમજવા એટલું કહી શકાય કે નાની ઉંમરથી બાળકો સાહિત્ય તરફ રસ કેળવતા થાય એ માટે જરૂરી છે ખાસ પ્રકારનું સાહિત્ય નિર્માણ કરવામાં આવે. આ માટે સમગ્ર રાજ્યમાંથી વિશેષ સર્જકો, ચિત્રકારો અને ભાષાના તજજ્ઞ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વાર્તાઓ,ચિત્રવાર્તાઓ,જોડકણા અને બાળભોગ્ય સાહિત્ય તૈયાર કરવા આ કાર્યશાળા મહત્વની બની રહી હોવાનું જાણવા મળ્યું હતું. ગિજુભાઈ બધેકા ચેર ધ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટી માટે તૈયાર થયેલ આ સાહિત્ય આગવી રીતે તૈયાર થાય એ રીતે સાહિત્યકારોએ કામગીરી કરી. સામગ્રી તૈયાર કરી હોવાનું રિસર્ચ એશોસીએટ શ્રીમતી સીમા બિહોલા ધ્વારા જણાવવામાં આવ્યું હતું.
રમણલાલ સોની ‘ મસ્તરામ ‘ ke જેઓ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયને ગીત ધ્વારા શીખવવામાં વૈશ્વિક ઓળખ ધરાવે છે. સમગ્ર દેશને પ્રથમ વખત બ્રિટનનું CASTME ( કેશ્મ ) સન્માન પ્રાપ્ત કરી વર્ષ:૧૯૮૪માં ભારત દેશને પ્રથમ આ સન્માન અપાવનાર અને મસ્તરામ તરીકે રાષ્ટ્રીય ઓળખ ધરાવનાર મસ્તરામ અહીં ઉપસ્થિત રહ્યા અને સૌને માર્ગદર્શન આપ્યું હતું. અમારા પ્રતિનિધિ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું આદિવાસી સમાજના બાળકો માટે નિઃશુલ્ક કાર્યરત આ સંકુલના સંચાલક મંડળ અને આ સંકુલ સાથે જોડાયેલ સર્વેને કપરી સ્થિતિમાં સેટ ઉત્સાહથી કાર્યરત સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.
સરદાર પટેલ યુનિવર્સિટીના ડૉ. મહેન્દ્ર ચોટલીયા કે જેઓભાષા શાસ્ત્રી અને આગવા સર્જક છે.
ડૉ. ચોટલિયા ધ્વારા ગિજુભાઈ ચેરના પ્રોફેસરનો અરણ્યધામ ખાતે આ કાર્યશાળા માટે સ્થળ પસંદ કરી સર્જન માટેના ઉત્તમ સ્થળે સર્વેને એકઠા કરવા અને આગવા સાહિત્ય સર્જન માટે સર્વેને યોગ્ય સુવિધા પ્રદાન કરવા માટે અભિનદન અપાતા સાથોસાથ પ્રાથમિક શાળાથી શરૂ કરી નિયામક સુધીનો બહોળો અનુભવ ધરાવનાર ડૉ. જોશી ના વિઝન થકી આ ઉત્તમ કાર્ય ધીરે ધીરે મજબૂત રીતે આગળ વધી રહ્યા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગિજુભાઈ બધેકા ચેરના પ્રોફેસર અને જીસીઇઆરટીના પૂર્વ નિયામક ધ્વારા સમગ્ર રાજ્યમાંથી પસંદ કરેલ સાહિત્યકારો અને કેળવણીના પથદર્શક સાથે શરૂ થયેલ આ કાર્યશાળામાં આધુનિક સમય મુજબનું અને વૈશ્વિક રીતે બાળ સાહિત્યમાં સ્વીકૃત થઈ શકે એ પ્રકારે સાહિત્ય સર્જકોએ અહીં કાર્ય કર્યું છે. ગુજરાત દરેક તબક્કે રાહ દર્શાવવાનું કામ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વપ્ન સમાન અને સ્વ. કિરીટ જોષી ના માર્ગદર્શનથી ગુજરાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ધ્વારા અનેક ક્ષેત્રમાં આગવું કામ થયું છે અને બાળકો માટેના સંશોધનો અને સાહિત્યમાં અનેક ઘણું કામ થયું છે અને આવનાર સમયમાં થવાનુ આયોજિત છે ત્યારે સાહિત્ય અકાદમી અને અરણ્યધામ સંકુલના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશને વિશ્વ ગુરુ બનાવવાના પ્રધાન મંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા ની શરૂઆત બાળકો સાથે કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યશાળાની સફળતા માટે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.લબ્ધ પ્રતિષ્ઠિત બાળ સાહિત્યકારો અરણ્યધામ ખાતે રહ્યા ઉપસ્થિત રહ્યા
Recent Comments