અમરેલી

જિલ્લાના કુંકાવાવ, વડીયા તથા બગસરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું વિભાજનઃ વાંધા-સૂચનો કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગને મોકલવા

 ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ-૧૯૬૩ (ગુજરાત અધિનિયમ-૨૦ સને-૧૯૬૪) અમલી છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ, વડીયા તથા બગસરા તાલુકાના વિસ્તારને સદરહું અધિનિયમના હેતુઓ માટે નિર્દેષ્ટ કરેલ ખેત ઉત્પન્નોની અમુક જાતના સંબંધમાં બજાર વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સદરહું બજાર વિસ્તારનું વિવિધ બજાર વિસ્તારો એટલે કે, અમરેલી જિલ્લાના (૦૧) કુંકાવાવ વડીયા તાલુકાના બનેલા બજાર વિસ્તાર અને (૦૨) બગસરા તાલુકાના બનેલા બજાર વિસ્તારમાં વિભાજન કરવામાં આવશે. આ સાથે આ બંનેના નિયંત્રણમાં લેવામાં આવેલા મગ, અડદ, તુવેર, મગફળી, તલ, કપાસ, ડુંગળી, ઘઉં, ચણા જીરું વગેરે જણસીઓનું ખરીદ વેચાણનું નિયમન કરવામાં આવશે.

આમ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરાનું વિભાજન કરીને (૦૧) કુંકાવાવ-વડીયા તાલુકાના બનેલા બજાર વિસ્તાર અને (૦૨) બગસરા તાલુકાના બનેલા બજાર વિસ્તારમાં વિભાજનનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી એક માસની મુદતમાં નાયબ સચિવશ્રી (ધિરાણ), બ્લોક નં.૭, છઠ્ઠો માળ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય,ગાંધીનગરને જે કોઈ વાંધા સૂચનો મળશે તેના ઉપર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે અને આખરી ગણવામાં આવશે તેમ ગાંધીનગર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts