રાષ્ટ્રીય

ભારતના રાષ્ટ્રપતિ છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ૨૪ માર્ચ, ૨૦૨૫ને સોમવારના રોજ રાયપુર ખાતે છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે છત્તીસગઢ વિધાનસભાએ લોકશાહી પરંપરાઓના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા છે. તેમણે ગૃહની કાર્યવાહી દરમિયાન વેલમાં પ્રવેશતા સભ્યોને આપમેળે સસ્પેન્ડ કરવાનો અસાધારણ નિયમ બનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે. તેમને એ વાતનો આનંદ છે કે છેલ્લા ૨૫ વર્ષો દરમિયાન ક્યારેય માર્શલનો ઉપયોગ કરવો પડ્યો નથી. તેમણે કહ્યું કે છત્તીસગઢ વિધાનસભાએ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વની તમામ લોકશાહી પ્રણાલીઓને ઉત્તમ સંસદીય આચરણનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.
રાષ્ટ્રપતિએ મહિલા ધારાસભ્યોને અન્ય તમામ મહિલાઓને સમર્થન આપવાનો આગ્રહ કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને પ્રોત્સાહન આપશે, ત્યારે દરેકનું ધ્યાન તે મહિલાઓ તરફ જશે અને તેમના વિકાસનો માર્ગ મોકળો થશે. તેમણે જણાવ્યું કે ભલે તેઓ શિક્ષકો હોય કે અધિકારીઓ, સામાજિક કાર્યકરો હોય કે ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો હોય કે કલાકારો, મજૂર હોય કે ખેડૂતો, ઘણીવાર આપણી બહેનો રોજિંદા ઘરની જવાબદારીઓ નિભાવતી વખતે અને સખત સંઘર્ષ કરતી વખતે બહારની દુનિયામાં પોતાનું સ્થાન બનાવે છે. જ્યારે બધી મહિલાઓ એકબીજાને સશક્ત બનાવશે, ત્યારે આપણો સમાજ વધુ મજબૂત અને સંવેદનશીલ બનશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. સિમેન્ટ, ખનિજ ઉદ્યોગ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને વીજળી ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં વિકાસ માટે પુષ્કળ તકો છે. આ સુંદર રાજ્ય લીલાછમ જંગલો, ધોધ અને અન્ય કુદરતી વરદાનોથી સમૃદ્ધ છે. તેમણે રાજ્યના નીતિ નિર્માતાઓને વિકાસના માર્ગ પર આગળ વધતા પર્યાવરણીય સંરક્ષણની ખાતરી કરવાનો આગ્રહ કર્યો. તેમણે જણાવ્યું કે તેમની પાસે સમાજના તમામ વર્ગોને આધુનિક વિકાસની યાત્રા સાથે જાેડવાની જવાબદારી પણ છે.

Related Posts