કેરળમાં સ્થિત વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપ વોટર મલ્ટીપર્પઝ પોર્ટ ભારતના દરિયાઈ માળખાગત ક્ષેત્રમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. 2 મે, 2025ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ રૂ. 8,800 કરોડનો આ પ્રોજેક્ટ, ભારતની બંદર ક્ષમતાઓને વધારવા અને વ્યૂહાત્મક દરિયાઈ પહેલ દ્વારા આર્થિક વિકાસને વેગ આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટની નજીક તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે આ બહુહેતુક બંદરના વિકાસ માટે વિઝિંજામની પસંદગી કરવામાં આવી હતી. જે જહાજો માટે પરિવહન સમયને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જે તેને દરિયાઈ વેપાર માટે એક મહત્વપૂર્ણ બિંદુ બનાવે છે. ભારતના થોડા કુદરતી ઊંડા પાણીના બંદરો પૈકીના એક તરીકે આ બંદર મોટા કાર્ગો અને કન્ટેનર જહાજોને કાર્યક્ષમ રીતે સમાવી શકે છે. આમ તે આ વિકાસ માટે એક આદર્શ પસંદગી બનાવે છે.
વિઝિંજામ બંદરની વિશેષતાઓ
ભારતનું પ્રથમ સમર્પિત કન્ટેનર ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટ.
વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંથી એકની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત.
આ બંદરમાં લગભગ 20 મીટરનું કુદરતી ઊંડાણ છે, જે તેને વિશ્વના કેટલાક સૌથી મોટા કાર્ગો જહાજોને સમાવવા માટે સક્ષમ બનાવે છે.
આગામી વર્ષોમાં આ ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટની ક્ષમતા ત્રણ ગણી વધવાની અપેક્ષા છે.
વિઝિંજામ પોર્ટના ફાયદા
આ બંદરના વિકાસથી ટ્રાન્સ-શિપમેન્ટ માટે ભારતની વિદેશી બંદરો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. જે અગાઉ આવા કામકાજનો 75% હિસ્સો ધરાવતી હતી. જેનાથી દેશમાં આવક જળવાઈ રહેશે અને કેરળ અને તેના લોકો માટે નવી આર્થિક તકો ઊભી થશે.
વિઝિંજામ પ્રાદેશિક વેપારમાં એક મુખ્ય ખેલાડી બનવા માટે તૈયાર છે. જે સંભવિત રીતે દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા વચ્ચે વાણિજ્ય માટે પ્રવેશદ્વાર તરીકે સેવા આપશે.
ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી મુખ્ય પહેલ ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અને પીએમ ગતિશક્તિ જેવા પહેલોનો ઉદ્દેશ્ય બંદર માળખાગત સુવિધાઓને વધારવા અને જળમાર્ગો, રેલવે, હાઇવે અને હવાઈ માર્ગોની આંતર-જોડાણક્ષમતામાં સુધારો કરવાનો છે. છેલ્લા દાયકામાં, જાહેર-ખાનગી ભાગીદારી હેઠળના રોકાણોએ ભારતીય બંદરોને વૈશ્વિક ધોરણો સુધી અપગ્રેડ કર્યા છે. જેનાથી જહાજોના ટર્નઅરાઉન્ડ સમયમાં 30% ઘટાડો થયો છે અને બંદર ક્ષમતા બમણી થઈ છે. આ પ્રયાસોએ ભારતને નાવિકોની
Recent Comments