ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણે એરસ્ટ્રાઇક કરી છે. આ પરિસ્થિતિને જાેતા પીએમ મોદી એ પણ ૩ દેશોનો વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો છે. ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ‘.
‘ઓપરેશન સિંદૂર‘ પછી, કેન્દ્ર સરકારે આજે (૦૮/૦૫/૨૦૨૫) સવારે ૧૧ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન વિશે માહિતી આપશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને કિરણ રિજિજુ પણ હાજર રહેશે. આ ઉપરાંત વિપક્ષના નેતાઓ પણ હાજર રહેશે.
ત્યારે બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, ડીજીપી અને મુખ્ય સચિવની ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક બપોરના ૨ વાગ્યે યોજાવાની છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, યુપી, બિહાર, સિક્કિમ, પ.બંગાળના સીએમ અને લદાખના એલજી તથા જમ્મુ-કાશ્મીરના એલજી ભાગ લેશે.
‘ઓપરેશન સિંદૂર‘ પછી, કેન્દ્ર સરકારે આજે સવારે ૧૧ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી

Recent Comments