અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા છ વર્ષથીનાસતા ફરતા લીસ્ટેડ આરોપીને રાજસ્થાન રાજયમાંથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત
રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્‍યાન
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.
ફ.ગુ.ર.નં.૧૨/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૮ મુજબના કામનો આરોપી
કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો હોય, મજકુર આરોપીને ટેક્નીકલ
સોર્સ અને બાતમી હકિકત આધારે રાજસ્થાન રાજયના જોધપુર જિલ્લાના ફલોદી
તાલુકાના રાદીયા બેરા ગામમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

 પકડાયેલ આરોપીની વિગતઃ-
મહીપાલ ભગીરથરામ જાણી(બિશ્ર્નોઇ), ઉ.વ.૩૦, રહે.જાણીયો કી ઢાણી, રાદીયા
બેરા/પલ્લી, તા.ફલોદી, જિ.જોધપુર (રાજસ્થાન).

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ
તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. અશોકભાઇ
સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts