રાષ્ટ્રીય

‘ડ્રગ મની‘ લોન્ડરિંગ કેસમાં શિરોમણી અકાલી દળ નેતા બિક્રમ સિંહ મજીઠિયાને ૭ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા

શિરોમણી અકાલી દળ (એસએડી) ના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાને મોહાલી જિલ્લા અદાલતે સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. ગુરુવારે, તેમને વિજિલન્સ બ્યુરો દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મજીઠિયાની ધરપકડ બાદથી અકાલી દળના કાર્યકરો વિરોધ કરી રહ્યા હોવાથી કોર્ટ પરિસરની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડ્રગ હેરફેર અને અપ્રમાણસર સંપત્તિ સાથે જાેડાયેલા કથિત મની લોન્ડરિંગના સંબંધમાં બુધવારે વિજિલન્સ ટીમ દ્વારા મજીઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર “ડ્રગ મની” માં ૫૪૦ કરોડ રૂપિયાથી વધુની લોન્ડરિંગનો આરોપ છે. તેમની ધરપકડ પહેલા, વિજિલન્સ અધિકારીઓએ ચંદીગઢમાં મજીઠિયાના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
પંજાબમાં ૨૫ સ્થળોએ દરોડા
આ ઘટનાક્રમ પર વાત કરતા, પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ અને વિજિલન્સ ટીમોએ અમૃતસરમાં નવ સ્થળો અને પંજાબમાં કુલ ૨૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મજીઠિયાના પરિસરનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ડ્રગ વેપારનો મુદ્દો અકાલી દળ-ભાજપ સરકારના કાર્યકાળનો છે. “તેમના સમય દરમિયાન ઘણા ડ્રગ દાણચોરો પકડાયા હતા અને બિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી,” ધાલીવાલે કહ્યું.
અકાલી દળ તેને ‘રાજકીય બદલો‘ કહે છે
શિરોમણી અકાલી દળ (એસએડી)ના વડા સુખબીર સિંહ બાદલના સાળા મજીઠિયા પહેલાથી જ ૨૦૨૧ના ડ્રગ્સ કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે. દરોડા દરમિયાન, મોહાલીની વિજિલન્સ ટીમને મજીઠિયા અને તેમની પત્ની ગનીવ કૌર, જે એક અકાલી ધારાસભ્ય છે, દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો, જેમણે બુધવારે સવારે ગ્રીન એવન્યુમાં અધિકારીઓ પર તેમના ઘરમાં ઘૂસવાનો આરોપ લગાવ્યો હતો. સુખબીર બાદલ, તેમના પત્ની અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને ઘણા વરિષ્ઠ અકાલી નેતાઓએ પણ મજીઠિયાના નિવાસસ્થાને દરોડા અંગે પંજાબમાં આપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેને “રાજકીય બદલો” ગણાવ્યો હતો.
મજીઠિયાની પત્નીએ શું કહ્યું?
તેમના પતિ વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે તેવું જણાવતા, ગનીવ કૌરે અમૃતસરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે લડતા રહીશું. લોકો મજીઠિયા સાથે ઉભા રહેશે.” દરોડાની આગેવાની મોહાલીના વિજિલન્સ બ્યુરોના ફ્લાઈંગ સ્ક્વોડના એઆઈજી સ્વર્ણદીપ સિંહ દ્વારા કરવામાં આવી હતી, જેમને ગયા મહિને સસ્પેન્શન પછી પુન:સ્થાપિત કરવામાં આવ્યા હતા. મજીઠિયા વિરુદ્ધ ૨૦૨૧માં નોંધાયેલા ડ્રગ કેસની પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્) દ્વારા ચાલી રહેલી તપાસમાંથી નવી હ્લૈંઇ બહાર આવી છે.

Related Posts