સદ્દભાવના ગૃપ, જે સાવરકુંડલામાં વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તાજેતરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત એક અનોખી પહેલ કરી ધર્મ અને માનવતાના સંગમ સાથે વૃંદાવન-જતીપુરાના દર્શન અને ગિરિરાજજીની પરિક્રમા ના આયોજન સાથે એક મહા રક્તદાન કેમ્પનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા અને રકતદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું. સદ્દભાવના ગૃપ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત રોજ અલગ અલગ થીમ પર દર્શન યોજવામાં આવે છે. આ વખતે વૃંદાવન અને જતીપુરાના દિવ્ય થીમ પર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગિરિરાજજીની પરિક્રમા નું પણ એક સુંદર પ્રતિકાત્મક આયોજન થયું હતું, જેને કારણે મોટી સંખ્યામાં ભાવિકોએ આ દિવ્ય દર્શન અને પરિક્રમા નો લાભ લીધો હતો. આયોજન એટલું વ્યવસ્થિત હતું કે દર્શનાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યો અને સૌએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા.
દર્શન અને ધાર્મિક કાર્યક્રમની સાથે જ એક મહા રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદ્દભાવના ગૃપ ને રક્તદાનના કાર્યોમાં હંમેશા દાતાઓનો સાથ મળતો રહ્યો છે, અને આ વખતે પણ કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશરે 306 બોટલ રકત એકત્ર થયું, જે ભવિષ્યમાં ઘણા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવવાનું કામ કરશે.
રક્તદાતાઓના આ અમૂલ્ય યોગદાન ને બિરદાવવા માટે દરેક દાતાને પ્રોત્સાહન રૂપે ત્રણ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સદ્દભાવના ગૃપ તમામ રક્તદાતાઓ નો અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં ધર્મ અને સેવાના કાર્યો ને જોડીને માનવતાનો સંદેશ પ્રસરાવે છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલામાં સદ્દભાવના ગૃપ ની અનોખી પહેલ – વૃંદાવન-જતીપુરાના દર્શન અને મહા રક્તદાન કેમ્પનું આયોજન


















Recent Comments