પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી દ્વારા તારીખ ૧૬.૦૪.૨૦૨૬ ગુરૂવારના રોજ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ૮૦ જેટલા ટ્રેકટર, સનેડાને રેડીયમ રીફલેકટર વિનામૂલ્યે લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગામડાંઓના રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ન હોય રાત્રે પસાર થતા ટ્રેકટર, ટ્રોલી, છકડા જેવા વાહનોમાં પણ સાઇડ લાઇટ, પાર્કીંગ લાઇટ હોતી નથી. રેડીયમ રીફલેકટર વાહનોમાં લાઇટની માફક કાર્ય કરે છે, એગ્રીકલ્ચર વાહનો જેમાં લાઈટ હોતી નથી તે વાહનોમાં રેડિયમ રાત્રે રસ્તાઓ પર જ્યારે વાહન ચાલતું હોય અને રસ્તા પર લાઇટ ના હોય અને વાહનમાં પણ લાઈટ ના હોય અકસ્માતનો ભય રહે છે જેથી રેડિયમ રિફલેક્ટર લાઇટ તરીકે કાર્ય કરશે અને દૂરથી વાહન દેખાશે વિજિબિલીટીમાં વધારો થતા માર્ગ અકસ્માતો ઘટશે.
એગ્રીકલ્ચર વાહનોમાં રેડીયમ રીફલેકટર લગાવેલા હોય તો માર્ગ અકસ્માતમાં ઘટાડો થઈ શકે. રેડીયમ રીફલેકટર લગાવવાની કામગીરી અમરેલી જિલ્લાના તમામ તાલુકાના APMC ખાતે રેડીયમ રીફલેકટર લગાવવાનાં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી (ઇન્ચાર્જ) એ એક યાદીમાં જણાવ્યું છે.












Recent Comments