ભાવનગર

ગુરુ આશ્રમ બગદાણા ખાતે અષાઢી બીજ નિમિત્તે ખાસ ફૂલોનો શણગાર 

આજના અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ગુરુઆશ્રમ બગદાણા ખાતે વિવિધ રંગબેરંગી કુદરતી ફૂલો વડે દિવ્ય  શણગાર કરવામાં આવ્યો હતો.

ગુરુ આશ્રમ પરિસરમાં આવેલા મુખ્ય ગાદી મંદિર તેમજ નૂતન મંદિર માહેની મૂર્તિ મંદિરો, કાલભૈરવ મંદિર તેમજ અન્નપૂર્ણા માતાજી મંદિર પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા.

આજે બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે અષાઢી બીજ ના પવિત્ર પ્રસંગે દર્શનાર્થી યાત્રાળુ એ દર્શનનો લાભ લીધો હતો.

Related Posts