ધારાસભામાં બોમ્બ ફેંકીને બ્રિટિશ હકૂમત હચ મચાવી દેનાર ક્રાંતિકારી યુવાનો સરદાર ભગતસિંહ સંધુ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને સ્વતંત્રતા ચળવળ બદલ કેદ કરવામાં આવ્યા હતાં અને અંગ્રેજી અદાલતે ગોરા અફસર સોન્ડર્સ ની હત્યા અને હિંસક આંદોલન બદલ મૃત્યુદંડની સજા ફટકારી હતી. સજા માટે નક્કી કરેલ તારીખ ના આગલા દિવસે આ નવલોહિયા યુવાનોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવેલા. ભારત ભોમની સ્વાધીનતા માટે ખુશીથી ખુલ્લા મોઢે ફાંસીના માંચડે ચડી જનાર અમર ક્રાંતિવીરોને ક્યારેય વિસરી શકાય નહિ.
માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ સંવેદન ગૃપ દ્વારા અમરેલીનાં લાઠી રોડ પર આવેલ ‘શહીદ સ્મારક’, કોલેજ સર્કલ ખાતે સાંજના સમયે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના સંયોજક વિપુલ ભટ્ટીએ આઝાદીનાં આ શૂરવીર લડવૈયા આપણાં ખરાં સુરાપુરા હોવાનું જણાવી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં યુવાન અર્જુન ગઢિયાએ ત્રણેય ક્રાંતિકારી યુવાનોની અપ્રતિમ દેશભક્તિ વિશે વિશિષ્ટ વાતો કહી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જીલ્લા પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ ક્રાંતિ અને દેશદાઝની આ કેસરી મશાલ પ્રજ્વલિત રહે એવી યુવાનોને અપિલ કરી હતી. શહીદોને સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્ટી દિપક મહેતા, મૂકેશ મંડોરા, ચેતન ચૌહાણ, સંજય સવાણી સાથે અમરેલી નગરપાલિકા સદસ્ય ચિરાગ ત્રિવેદી, વેપારી અગ્રણી રાજેશભાઈ ગાંધી, સંવાદ સંસ્થાનાં પરેશભાઈ મહેતા, ઈતેશભાઈ, પ્રફુલ્લભાઈ ધામેચા, હરેશભાઈ ભાયાણી, સંજયભાઈ પંડ્યા, કિશોરભાઈ દવે, એડવોકેટ પ્રિયકાન્તભાઈ વાઘેલા, અર્જુન ગઢિયા, સહિતે પુષ્પાંજલિ અર્પી શહીદ વંદના કરી હતી.તેમ સંવેદન ગૃપનાં ધર્મેન્દ્ર લલાડિયાએ જણાવ્યું છે.
ક્રાંતિવીરો ને ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ

Recent Comments