અમરેલી

કુંકાવાવ તાલુકાના તરઘરી મુકામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં પરિભ્રમણ કરી રહેલા ‘વિકાસ રથ’નું અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં ઉળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મંગળવારે રાત્રે તરઘરી મુકામે યોજાયેલા કાર્યક્રમમાં વિકાસ સપ્તાહ અંતર્ગત નાગરિકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરીમલ પંડ્યા અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ હિરપરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ૩૬૮ વ્યક્તિઓએ ‘ભારત વિકાસ શપથ’ લીધા હતા. ગ્રામ વિકાસના સુવિધામાં ઉમેરો કરતા આશરે રૂ. ૨૨ લાખના વિકાસકાર્યોનું  ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગી પ્રદર્શન અને મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગનું પ્રદર્શન યોજાયું હતું. ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમમાં મામલતદાર શ્રી સિંધી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ખાંભલા,  સરપંચ રમાબેન હીરપરા, શ્રી ભદ્રેશભાઈ ગજેરા, શ્રી રામજીભાઈ હીરપરા, શ્રી ગીતાબેન હીરપરા, તેમજ વહીવટીતંત્રના અધિકારીશ્રી અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સારંગપુર મુકામે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ખાંભલા, વિસ્તરણ અધિકારીશ્રી દાફડા તેમજ તાલુકા વહીવટીતંત્રના કર્મયોગીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts