દ્વારકા તીર્થસ્થાન દ્વારીકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આહીરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતભરના આહીરોનો આ ધર્મપ્રસંગ આહીરસમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહીરસમાજે તૈયારીઓની કમરકસી છે તા-29 માર્ચથી 6 એપ્રીલ સુધી નવ દિવસ ચાલનારા આ ધર્મ મહોત્સવનો પ્રારંભ જગદમંદીર દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લીંગના મંદીર શીખરો પર નૂતન ધ્વજારોહણથી થશે, આ ધર્મ મહોત્સવમા પીંડારા ખાતે વિખ્યાત કથાકાર પ.પૂ. ગીરીબાપુની શિવમહાપૂરાણની 835 મી કથા બંન્ને સત્રમાં યોજાશે સાથોસાથ પીંડારાતીર્થ જે પિતૃતર્પણના કાર્ય માટે પૌરાણીક મહત્વ ધરાવે છે એ પિતૃતર્પણની વીધિ નવ દિવસ સમગ્ર આહીર સમાજના લાભાર્થે વિનામૂલ્યે યોજાઈ રહી છે સમસ્ત જીવમાત્રના કલ્યાણ અને વિશ્વશાંતિની મંગલ મનોકામના સાથે મહાવિષ્ણુયાગ અને ભાગવતજીના પાઠનું પણ નવદિવસીય આયોજન આ ધર્મ મહોત્સવમાં થયેલ છે દરરોજ અંદાજીત દોઢથી બે લાખ ભાવિક ભક્તો જે ધર્મ મહોત્સવમા પધારવાના હોય એના ભોજનની સુંદર વ્યવસ્થાઓ આહીરસમાજ દ્વારા ઉભી કરાયેલ છે મહર્ષી દુર્વાષામુની આશ્રમસ્થળે યોજાનાર આ ધર્મ મહોત્સવમા બ્રહ્મ અને ઋષીઓ પ્રત્યે આહીર સમાજનો કૃતજ્ઞભાવ દર્શાવતી બ્રહ્મચોર્યાસી તથા સાધુસમાજની 15 જેટલી દીકરીઓના સમૂહલગ્ન પણ આ પ્રસંગે યોજાશે
ધર્મમહોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમો જેમા તા-30 માર્ચ અને 2 એપ્રીલે ભવ્ય લોકડાયરાઓ યૉજાનાર છે જેમા અનુક્રમે રાજભા ગઢવી, બીરજુ બારોટ, ગોપાલ સાધુ તથા માયાભાઈ આહીર, દેવરાજ ગઢવી, પરસોતમ પરી, શૈલેષ મારાજ જેવા ખ્યાતનામ કલાકારો સ્ટેજ શોભાવશે આ ઉપરાંત તા-5 એપ્રીલની સાંજે ભવ્ય મહારાસની ઝાંખી જેમાં ભાવેશ આહીર, માલદે આહીર તથા ક્રિષ્ના આહીર જેવા લોક ગાયકો કૃષ્ણપરંપરાના રાસગરબાની રમઝટ બોલાવશે
મહર્ષી દુર્વાષામુની ની પૌરાણીક કથાઓ સાથે જોડાયેલ આ પવિત્ર તીર્થક્ષેત્રમાં યોજાનાર આ ધર્મમહોત્સવનો લાભ લેવા સર્વે સાધુસંતો મહંતો તથા સર્વે ભાવિકભક્તોને શ્રીઅખીલ ભારતીય યદુવંશી આહીરસમાજ તરફથી હ્રદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

















Recent Comments