fbpx
રાષ્ટ્રીય

અદાણી ગ્રુપ-ઈસ્કોન મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરશે, ભક્તોને ભોજન પીરસશે

ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા
પ્રયાગરાજમાં મહા કુંભ મેળા ૨૦૨૫માં ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા છે. પ્રયાગરાજમાં મહા કુંભ મેળા ૨૦૨૫માં ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા છે. ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધીના મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન આ મહાપ્રસાદ સેવા બંને સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે. ગયા ગુરુવારે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, ઈસ્કોન ગવર્નિંગ બોડી કમિશન ના અધ્યક્ષ ગુરુ પ્રસાદ સ્વામીને મળ્યા અને ઈસ્કોનની પહેલ બદલ આભાર માન્યો. સમાચાર અનુસાર, મહાપ્રસાદ સેવા ઓફર કરવામાં ઇસ્કોનના સમર્થન વિશે બોલતા, અદાણીએ કહ્યું કે કુંભ એ સેવાનું પવિત્ર સ્થળ છે,

જ્યાં દરેક ભક્ત ભગવાનની સેવાના નામે ભાગ લે છે. આ મારું સદ્ભાગ્ય છે કે અમે ઇસ્કોનના સહયોગથી મહાકુંભમાં ભક્તો માટે ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરી રહ્યા છીએ. મા અન્નપૂર્ણાના આશીર્વાદથી લાખો ભક્તોને મફત ભોજન આપવામાં આવશે. આજે મને ઇસ્કોનના ગુરુ પ્રસાદ સ્વામીજીને મળવાની તક મળી અને મેં સેવા પ્રત્યે સમર્પણની શક્તિનો ઊંડો અનુભવ કર્યો. ખરા અર્થમાં સેવા એ દેશભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ છે. સેવા એ ધ્યાન છે, સેવા એ પ્રાર્થના છે અને સેવા એ ભગવાન છે.” ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસના અગ્રણી પ્રચારકોમાંના એક ગુરુ પ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ હંમેશા કોર્પોરેટ જવાબદારી અને સામાજિક સેવાનું એક ચમકતું ઉદાહરણ રહ્યું છે. જે બાબત ગૌતમ અદાણીજીને બીજા બધાથી અલગ બનાવે છે તે તેમની નમ્રતા છે – તેઓ ક્યારેય બોલાવવાની રાહ જાેતા નથી પરંતુ નિઃસ્વાર્થપણે સેવા કરવા માટે આગળ વધે છે. અમે તેમના યોગદાન માટે અત્યંત આભારી છીએ. તેમનું કાર્ય આપણને સમાજને પાછા આપવા અને માનવતાની સેવામાં એક થવાની પ્રેરણા આપે છે. ૫૦ લાખ ભક્તોને મહાપ્રસાદની સેવા આપવામાં આવશે અને મેળાના વિસ્તારની અંદર અને બહાર બે રસોડામાં ભોજન તૈયાર કરવામાં આવશે. મહાકુંભ વિસ્તારમાં ૪૦ સ્થળોએ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ૨,૫૦૦ સ્વયંસેવકો પહેલમાં સામેલ થશે. દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકો સાથે માતાઓ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગીતા સાર ની પાંચ લાખ નકલો પણ ભક્તોમાં વહેંચવામાં આવશે.

Follow Me:

Related Posts