ગુજરાતના દૂરના વિસ્તારોને જાેડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે ૪૫ કિમી) માટે રૂ. ૧,૧૨,૫૦,૦૦૦/-નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (હ્લન્જી) કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સારડિયા- વાંસજાળીયા નવી લાઇનનો આ નવો પ્રોજેક્ટ નીચેના લાભો પ્રદાન કરશે:
? ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
? સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જાેડતો વધારાનો અને ટૂંકો માર્ગ.
? ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે વધારાનો માર્ગ.
? ભારતીય રેલવેના સિદ્ધાંતો અનુસાર સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે ૪૫ કિમી) માટે રૂ. ૧,૧૨,૫૦,૦૦૦/- નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી

Recent Comments