fbpx
ભાવનગર

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જિલ્લાના ૬૬ શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમો એનાયત કરાયા

-:મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા:-
નિમણૂક હુકમની સાથે સાથે આ સમાજસેવાનો પણ હુકમ
શિક્ષણ એ અર્થ ઉપાર્જનનો નહીં પરંતુ લોકસેવાનો પવિત્ર વ્યવસાય

ભાવનગર શહેરની માજીરાજબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૬૬ શિક્ષણ સહાયકોને શિક્ષણ મંત્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે હુકમપત્રો એનાયત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમા શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે સરકારનો એકમાત્ર ઉદ્દેશ છે. જે માટે શ્રીનરેન્દ્રભાઇમોદી, શ્રીમતી આનંદીબેન પટેલ થી લઇ હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે.ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આપણે સૌએ સાથે મળી પ્રયત્ન કરવા જોઈએ. વ્યક્તિ નિર્માણ દ્વારા દેશનું નિર્માણ થાય છે સમાજમા ચરિત્ર નિર્માણ કે વ્યક્તિ નિર્માણની જવાબદારી એકમાત્ર શિક્ષકોના શીરે છે. નરેન્દ્રભાઇ મોદીવડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આજના યુવાનની ચિંતા કરી અને મેક ઇન ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા, સ્કીલડેવલોપમેન્ટ, સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ વગેરે જેવા સૂત્ર આપી યુવાન આત્મનિર્ભર બને તે દિશામાં અનેક પગલાઓલીધા.આ પ્રસંગે યુવાનોને સંબોધિત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપના સુત્રને અનુસરી યુવાનોઆગળ આવે અને નવી શોધ-સંશોધનો થકી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને ઉપસ્થિત શિક્ષકોનેજણાવ્યું હતું કે તેઓ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર લાવવા શક્યએટલા તમામ પ્રયત્ન કરે.શિક્ષકની જવાબદારી ખુબ પવિત્ર અને એશ્વર્યવાન છે. આ જવાબદારી થકી શિક્ષકો સેંકડો ડોક્ટર, એન્જિનિયર અનેવેજ્ઞાનિકો ઉભા કરી શકે છે. શિક્ષણનો વ્યવસાયએ અર્થ ઉપાર્જનનો નથી પરંતુ લોકસેવાનો પવિત્ર વ્યવસાય છે અનેતેથી જ શિક્ષક એ હંમેશા બાળકનો આદર્શ હોય છે.કોરોના કાળમાં શિક્ષકોએ કરેલ શૈક્ષણિક તથા અન્ય કામગીરીને મંત્રીશ્રીએ બિરદાવી હતી અને ઉમેર્યું હતું કેલોકડાઉનના ગાળામાં શિક્ષણનું જે નુકસાન થયું છે તે સ્વૈચ્છિક રીતે ભરપાઈ કરી શિક્ષકો કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણપુરૂ પાડે. આ માત્ર નિમણૂકના હુકમો નથી પરંતુ સાથે સાથે સમાજ સેવા માટેનો પણ હુકમ છે. આ પ્રસંગે નિમણૂક પામેલા ક્રિષ્નાબહેન તેમજ દર્શનાબહેને પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યુ હતુ કે કોરોના કાળમાંજ્યારે કોઈપણ રાજ્યમાં ભરતી ન હતી ત્યારે રાજ્ય સરકારે આવા કપરા સમયમાં પણ ભરતી કરી અમારી મહેનતઅને પરિશ્રમ સાર્થક કર્યા છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા રાજ્ય સરકારે પારદર્શક ભરતી કરી યુવાનોને ઉત્તમભવિષ્ય આપ્યું.આ પ્રસંગે નાયબ નિયામક આર.આર.પટેલ, ડી.ઇ.ઓ. એન.જી.વ્યાસ, તાલીમ ભવનના આચાર્ય હિરેનમારૂ, મામલતદાર ધવલ રવીયા, ઇ.આઇ. મહેશ પાંડે, પ્રતિપાલસિંહ, વી.પી.પરમાર, મોડેલ સ્કુલ આચાર્ય બોરીચા, માજીરાજબા સ્કુલ આચાર્ય પ્રિતીબેન સંઘવી સહિતના મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/