ગુજરાત

ઉત્કૃષ્ટ મહિલા અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યનું સંક્ષિપ્ત વર્ણન

સરપંચ શકુંતલાબેન વસાવા: કાયમી પાણી વ્યવસ્થાપન દ્વારા પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યાં છેગુજરાતના નમર્દા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શકુંતલાબેન વસાવા સેવા આપે છે. તેમણે જટિલ સમસ્યાઓના ઉકેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ખાસ કરીને ગામ માટે સતત પડકારરૂપ સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં. અગાઉ, ગ્રામજનો હેન્ડપંપ અને બોરવેલ પર આધાર રાખતા હતા. જેના કારણે ખર્ચ અને સમય વધતો હતો. મહિલાઓને ઘરકામ, ખેતી અને બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી પડતી હતી. જળ જીવન મિશન હેઠળ, તેમણે દરેક ઘરમાં બોરવેલ, મોટર, પાણીની ટાંકી, પાઇપલાઇન અને નળના પાણીના જાેડાણો સ્થાપિત કરવાના પ્રયાસોનું નેતૃત્વ કર્યું. જેનાથી પીવાના પાણીની વિશ્વસનીય પહોંચ સુનિશ્ચિત થઈ.

જળ જીવન મિશન અને ઉછજીસ્ર્ં (પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન સંગઠન)ના સમર્થનથી પાણીની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો. તાલીમ સત્રો પૂરા પાડવામાં આવ્યા, અને પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ફિલ્ડ ટેસ્ટ કીટ (હ્લ્દ્ભ)નું વિતરણ કરવામાં આવ્યું. જળ સમિતિઓની પણ રચના કરવામાં આવી અને પંપ ઓપરેટરોની નિમણૂક કરી તેમને સિસ્ટમ જાળવવા માટે તાલીમ આપવામાં આવી હતી.

આ સુધારાઓની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે, સંચાલન અને જાળવણી ખર્ચને આવરી લેવા માટે ઘર દીઠ નજીવો વોટર ચાર્જ શરૂ કરવામાં આવ્યો છે. જળ સમિતિની નિયમિત બેઠકો ચિંતાઓને દૂર કરે છે અને તાલુકા પંચાયત સિસ્ટમની કાયર્ક્ષમતા પર દેખરેખ રાખે છે. આ પગલાં સ્વચ્છ પીવાના પાણીનો અવિરત પુરવઠો જાળવવામાં મદદ કરે છે. જેનાથી સમગ્ર સમુદાયને ફાયદો થાય છે.

Follow Me:

Related Posts